વડોદરામાં મોદી વિરૂદ્ધ મધુસુદન મિસ્ત્રીનો જંગ જામશે
ગાંધીનગર, 26 માર્ચ: ગુજરાતની વડોદરા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલી દિધા છે અને હવે પાર્ટીના મહાસચિવ મધુસુદન મિસ્ત્રીને નરેન્દ્ર મોદી સામે મુકાબલો કરવા માટે મેદાને ઉતારવાની જાહેરાત કરી છે. સાથે જ આદર્શ હાઉસિંગ કૌભાંડને લઇને તેમની સાથે જોડાયેલા વિવાદોને નજરઅંદાજ કરતાં કોંગ્રેસે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને લઇને લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી મનીષ તિવારી લોકસભાની ચૂંટણી લડશે નહી અને તેમની લુધિયાણા સીટથી રવનીત સિંહ બિટ્ટુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતની વડોદરા સીટ પરથી પાર્ટી ઉમેદવાર નરેન્દ્ર રાવતને ચૂંટણી મેદાનમાંથી દૂર કરવાની જાહેરાત કર્યા બાદ પાર્ટી મહાસચિવ મધુસુદન મિસ્ત્રીને નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ મેદાને ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્ર રાવતે પ્રાઇમરી યોજના હેઠળ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાનું નામ પરત લઇ લીધું જેથી પાર્ટી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મજબૂત ઉમેદવાર ઉતારી શકે. જ્યારથી નરેન્દ્ર મોદીને લઇને ઉમેદવાર બનાવવાની જાહેરાત થઇ ત્યારબાદથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ત્યાંથી પોતાના ઉમેદવારને બદલશે.

કોંગ્રેસ મહાસચિવ અજય માકને મધુસુદન મિસ્ત્રીના નામની જાહેરાત કરી અને સાથે જ અશોક ચૌહાણના ચૂંટણી લડવાના પર પ્રતિબંધ લગાવવામાં ન આવ્યો. તેમનો કેસ સુરેશ કલમાડી કરતાં અલગ હતો. સુરેશ કલમાડી વિરોદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવી ચૂક્યું છે પરંતુ કોર્ટે અશોક ચૌહાણ વિરૂદ્ધનો કેસ વિચારણા હેઠળ છે.
પાર્ટીએ ગત અઠવાડિયે સુરેશ કલમાડીને ઉમેદવાર બનાવવાની મનાઇ કરી દિધી હતી. તે પુણેથી પાર્ટીના સાંસદ છે. કોંગ્રેસે આજે પોતાના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાં તમિલનાડુથી ચાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બે-બે, પંજાબમાંથી ત્રણ અને મહારાષ્ટ્રથી એક ઉમેદવારના નામ સામેલ છે. આ સાથે જ પાર્ટી અત્યાર સુધી પોતાના 398 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. જલંધરના સાંસદ મોહિંદર સિંહ કાયપી હોશિયારપુરથી પાર્ટીના ઉમેદવર હશે જ્યારે સંતોષ કુમાર ચૌધરી જલંધરથી પોતાની કિસ્મત અજમાવશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
