અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર અકસ્માત, 2 ના મોત
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી એક નિર્માણધીન સાઈટ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.
આંબાવાડીમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન સેન્ટિંગ પાટ પરથી અચાનક ત્રણ મજૂરો નીચે પટકાયા હતા.

આ ભયાનક દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે શ્રમજીવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં કન્સ્ટ્રક્શન સાઈટના સંચાલકો દ્વારા ફાયર બ્રિગેડ કે પોલીસને સમયસર જાણ કરવામાં આવી નહોતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના સાધનોના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
