ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનરે લીધી મોદીની મુલાકાત
ગાંધીનગર, 21 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજ્ન્ય મુલાકાત આજે, ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનર વેન લામા લોબઝેન્ગએ લીધી હતી અને ભારતમાં બુધ્ધ વિરાસતના જતનસંવર્ધન માટે નેતૃત્વ લેવાની ક્ષમતા સંદર્ભમાં પરામર્શ કર્યો હતો.

લામા લોબઝેન્ગને ગુજરાતમાં બુધ્ધ ધર્મની વિરાસતના પ્રભાવથી મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં ભગવાન બુધ્ધનું વિશ્વકક્ષાનું ભવ્ય મંદિર બુધ્ધ ટેમ્પલ દેવની મોરીના સ્થળે બાંધવાની નેમ વ્યકત કરી હતી.
ગુજરાત સરકાર ભારતમાં બૌધ્ધ ધર્મની સાંસ્કૃતિક વિરાસતના જતન અને વિકાસ માટે સહયોગ આપવા તત્પર છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને લોદી જી ગ્યારી પણ ઉપસ્થિત હતા.












Click it and Unblock the Notifications
