કોરોનાઃ ગુજરાતમાં 11 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાં, ઉલ્લંઘન કરવા પર 21 FIR
કોરોનાઃ ગુજરાતમાં 11 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાં, ઉલ્લંઘન કરવા પર 21 FIR
ભારતમાં કોરોનાવાઈરસના મામલા તેજીથી વધી રહ્યા છે. વિવિધ રાજ્યોથી પોઝિટિવ કેસના મામલા સામે આવી રહ્યા છે. ગુજરામાં પણ આ સંખ્યા વધીને 33 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન રાજ્યરકાર તરફી આકરા પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર મુજબ હાલ પ્રદેશમાં 11 હજાર લોકો ક્વોરેન્ટાઈનમાં છે.

મંગળવારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ રાજ્યમાં 11,10 લોકો હાલ ક્વોરેન્ટાઈનમાં છે. જેમાંથી 224 લોકો સરકારી સ્થળ અને 10850 લોકો પોતાના ઘરમાં છે. તામમ લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કુલ 34 હોસ્પિટલને ક્વોરેન્ટાઈન માટે રિઝર્વ રાખવામાં આવી છે. જો કોઈપણ પ્રકારે જરૂરત પડે છે તો, તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સરકારે ક્વૉરેન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર અત્યાર સુધીમાં કુલ 21 એફઆઈઆર નોંધી લીધી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સોશિયલ મીડિયા પર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે અને લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ ક્વૉરેન્ટાઈનમાં રહેતા લોકો સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા વા કરી અને નર્સોનો પણ ઉત્સાહ વધારવાની કોશિશ કરી.












Click it and Unblock the Notifications
