ગુજરાતમાં તબલીગી જમાતના 5 શખ્સ સંક્રમિત મળ્યા, અત્યાર સુધીમાં 130ની ઓળખ થઈ
ગુજરાતમાં તબલીગી જમાતના 5 શખ્સ સંક્રમિત મળ્યા, અત્યાર સુધીમાં 130ની ઓળખ થઈ
અમદાવાદઃ ગુજરાતમાં તબલીગી જમાતના વધુ પાંચ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે અને આની સાથે જ પોલીસે શુક્રવારે એવા ત્રણ લોકોની ઓળખ કરી છે જેમણે પાછલા મહિને દિલ્હીમાં થયેલ જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આમને મિલાવી તે ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલ રાજ્યના 130 લોકોની ઓળખ થઈ ચૂકી છે. દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં થયેલ આ કાર્યક્રમમાં વિદેશી નાગરિકો સહિત 9000થી વધુ લોકો સામેલ થયા હતા. જેને દેશમાં વાયરસના પ્રસાર માટે એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે કેમ કે આ પ્રતિભાગિઓમાંથી કેટલાય બાદમાં સંક્રમિત મળ્યા અને આ લોકો અહીંથી જમાતના કામ માટે દેશના વિવિધ ભાગોમાં ચાલ્યા ગયા હતા.
ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, કાર્યક્રમમાં સામેલ થયેલ જમાતના ત્રણ લોકો ભાવનગરમાં મળ્યા. અગાઉ જમાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલ એક શખ્સ આજે કોરોના પોઝિટિવ મળી આવ્યો. નિઝામુદ્દીનમાં જમાત કાર્યક્રમમાં સામેલ થયેલ રાજ્યના 130 લોકો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ જણાયા. શિવાનંદ ઝાએ કહ્યું કે ભરૂચમાં શુક્રવારે સંક્રમિત મળેલ ચાર લોકો તબલીગી જમાતના શૂરા ઘડેથી આવે છે અને તમિલનાડુના રહેવાસી છે, જો કે તેમણે પાછલા મહિને દિલ્હીના નિજામુદ્દીનમાં થયેલ જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ નહોતો લીધો.
તેમણે કહ્યું કે, આ તબલીગીઓના શૂરા ધડેનો ભાગ છે અને તેમણે નિજામુદ્દીનાં થયેલ કાર્યક્રમમાં ભાગ નહોતો લીધો કેમ કે તે કાર્યક્રમ સંગઠનના સાદ અથવા ઈમરાતી ધડા માટે આયોજિત કરાયો હતો. આ ચારેય તમિલનાડુના રહેવાસી છે. ગુજરાતમાં દેશભરના 1095 શૂરા ઉપદેશક છે. ચારમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે જ્યારે બાકીના પૃથકવાસમાં રાખવામાં આવ્યા છે.
Good News: 101 વર્ષના દાદા કોરોના વાયરસને મ્હાત આપી ઘરે પાછા આવ્યા