તક્ષશીલા અગ્નીકાંટમાં 15 બાળકોને બચાવનારની સી.આર પાટીલે કરી મુલાકાત
ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે સૂરતના મૂલાકાત દરમિયાન 3 વર્ષ પહેલા બનેલી તક્ષશીલા અગ્નીકાંડમાં 15 જેટલા બાળકોનો જીવ બચાવનાર જતીનભાઇ નકરાણીના ઘરે જઇને મુલાકાત કર હતી. ચૂંટણી વર્ષમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સમાજ સેવાન
ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે સૂરતના મૂલાકાત દરમિયાન 3 વર્ષ પહેલા બનેલી તક્ષશીલા અગ્નીકાંડમાં 15 જેટલા બાળકોનો જીવ બચાવનાર જતીનભાઇ નકરાણીના ઘરે જઇને મુલાકાત કર હતી. ચૂંટણી વર્ષમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સમાજ સેવાની સારી કામગીરી કરનાર લોકોના ઘરે જઇને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે આજે તક્ષશિલા અગ્નિ દુર્ઘટના માં 15 બાળકોને બચાવનાર જતીનભાઈ નકરણીના ઘરે મુલાકાત, 5 લાખ રૂપિયાનું સહાય કરી ભવિષ્યમાં પણ જરૂરિયાત મદત કરવાનું આશ્વાસન આપ્યું.
સુરત મહાનગર ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ વોર્ડ નંબર 20 ના સ્વર્ગસ્થ કોર્પોરેટર જયેશભાઈ જરીવાળા ના ઘરે જઈ તેમના પરિવારના સભ્યોને મળી તેમના પર આવી પડેલી વિપદા માં પરમપિતા પરમાત્મા શક્તિ અર્પે એવી પ્રાર્થના કરી.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા ,લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ,ધારાસભ્ય વિવેકભાઈ પટેલ ,સંગઠનના સહુ પદાધિકારીઓ ,વોર્ડના કોર્પોરેટરઓ હાજર રહ્યા હતા.