અમદાવાદ વિસ્ફોટ કેસમાં ક્રાઇમબ્રાન્ચ માંગશે ભટકલની કસ્ટડી
અમદાવાદ, 29 ઓગસ્ટ : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ભારત-નેપાળ સરહદેથી પકડાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીન ત્રાસવાદી સંગઠનના સ્થાપક યાસીન ભટકલની કસ્ટડી માંગી શકે છે. આ માટે ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી લેવાની તૈયારી શરૂ કરી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મુખ્ય આરોપી એવો યાસીન વિસ્ફોટોના 35 જેટલા કેસોમાં મોસ્ટ વૉન્ટેડ છે. ભટકલ પુણેની જર્મન બેકરી તેમજ હૈદરાબાદ અને મુંબઈમાંના બોમ્બ વિસ્ફોટોના કેસમાં પણ આરોપી છે.
અમદાવાદમાં વર્ષ 2008ની 26 જુલાઈની સાંજે રાયપુર, મણીનગર, ઈસનપુર, નરોડા, બાપુ નગર અને ડાયમંડ માર્કેટ જેવા વિસ્તારોમાં 60થી 70 મિનિટના અંતરે 18 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં 57 લોકો માર્યા ગયા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.

ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સહ-સ્થાપક મનાતા યાસીન ભટકલનું ખરું નામ મોહમ્મદ એહમદ ઝરાર સિદ્દીબાપા છે. તે કર્ણાટકના ઉત્તર કન્નડા જિલ્લાનો વતની છે. આજે ભારત-નેપાળ સરહદ પરથી પકડાયો છે. તેની સાથે અસાદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડી નામના ઈન્ડિયન મુજાહિદ્દીનના એક અન્ય ત્રાસવાદીને પણ પકડી લેવામાં આવ્યો છે. તે આ ટેરર ગ્રુપની ભારતમાંની પ્રવૃત્તિઓના સંચાલનનો વડો છે.
આ બંનેને પકડવાનું સમગ્ર ઓપરેશન ઈન્ટેલિજન્સ બ્યૂરોએ હાથ ધર્યું હતું. તેણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ (રૉ) પાસેથી મેળવેલી માહિતીને આધારે બંને ત્રાસવાદીને પકડ્યા છે અને આ કામગીરીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સહિત કોઈ પણ પોલીસ દળનો સમાવેશ કરાયો નહોતો.
યાસીન અને અખ્તરને પકડી લીધા બાદ ગુપ્તચર બ્યૂરોએ બંનેની સોંપણી બિહાર પોલીસને કરી દીધી હતી, કારણ કે ભારતમાં કોઈની ધરપકડ કરવાની સત્તા ગુપ્તચર એજન્સીઓને નથી. બંને ત્રાસવાદીને બિહારના બેટીઆહમાં લઈ જવામાં આવ્યા છે. પકડાયેલો શખ્સ યાસીન ભટકલ છે કે કેમ તે માટે સુરક્ષા એજન્સીઓએ તેના પરિવારજનોના ડીએનએ એકત્ર કરવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ તેમના અને પકડાયેલા શખ્સના ડીએનએનું મેચિંગ કરાશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
