Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું

કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું

અમદાવાદઃ ગુજરાતના 3 મહાનગરોમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે લગાવવામાં +આવેલ કર્ફ્યૂને 24 એપ્રિલ સુધી લંબાવી વધારી દેવામાં આવ્યું છે. આ મહાનગરોમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સામેલ છે. આ શહેરોમાં જ સૌથી વધુ કોરોનાના દર્દી છે. આ શહેરોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. માટે પોલીસ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, અહીં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહિ આવે.

shivanand jha

ગુજરાતના ડીજીપી શિવાનંદ જાએ મંગળવારે કહ્યું કે, અમારો અનુરોધ છે કે તમે લોકો તમારા ઘરમાં જ રહો, છૂટ મળવા પર માસ્ક પહેરીને જ બહાર નીકળો. સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખો. જે લોકો લૉકડાઉન, સોશિયલ ડિસ્ટેન્સિંગ અથવા કર્ફ્યૂનું ઉલ્લંઘન કરશે, તેમને પકડી તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં કર્ફ્યૂમાં બહાર નિકળતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડીજીપીએ જણાવ્યું કે અમદાવાદમાં 142 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં અપરાધમાં 104 અને રાજકોટમાં અપરાધમાં અત્યાર સુધીમાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કર્ફ્યૂની અવધી વધારવાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચાધિકારીઓની બેઠક થઈ હતી. પછી 24 એપ્રિલ સુધી કર્ફ્યૂ વધારવાને લઈ ફેસલો લેવામાં આવ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X