Cyclone Biparjoy Update : ચક્રવાત બિપોરજોયના જોખમ અંગે સરકાર એલર્ટ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત
Cyclone Biparjoy Update : ચક્રવાતી વાવાઝોડા બિપોરજોયને કારણે ગુજરાત સરકાર એલર્ટ છે. ચક્રવાત બિપોરજોય આજે ગુજરાતના દરિયાકિનાર પર ત્રાટકશે, જે કારણે સંભવિત નુકસાન ઘટાડવા માટે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પાંચ દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, દ્વારકામાંથી 5535 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોને આશ્રય ગૃહો, સરકારી શાળાઓ અને ઉદ્યોગોની નજીકની સુવિધાઓમાં ખસેડવામાં આવ્યા છે. PMO પણ દરેક જિલ્લાના સંપર્કમાં છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, જોરદાર પવનને કારણે ઈલેક્ટ્રીક પોલ પડી જવાની ઘણી ફરિયાદો છે. ગત રાત્રે 40 વીજ થાંભલા પડી ગયા હતા, જેના પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે. NDRFની 3 ટીમો અને SDRFની 2 ટીમો સમગ્ર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે આ વિસ્તારમાં નેવી અને કોસ્ટ ગાર્ડની મોટી સ્થાપના છે અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, વાવાઝોડા જેવી કુદરતી આફતો દરમિયાન સંચાર સૌથી મોટી સમસ્યા છે. આ જ કારણ છે કે, જિલ્લા મથકોમાં પોલીસ વાયરલેસ સેટની સાથે એમ્બ્યુલન્સ, સેટેલાઇટ ફોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે દ્વારકાધીશના દર્શન કરવા આવતા લોકોને વિનંતી કરી છે કે, જેમણે 14મીથી 20મી વચ્ચે આયોજન કર્યું છે, તેઓ તેમના આયોજનને ફરીથી ગોઠવે. મંદિરની સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી છે.
દ્વારકાધીશના મંદિરની સાથે સાથે સોમનાથ મંદિરની સુરક્ષાની પણ સઘન ચકાસણી કરવામાં આવી છે, જેથી મંદિરને કોઈ નુકસાન ન થાય. સંઘવીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર દ્વારકાધીશ અને સોમનાથ બંને ભગવાનના આશીર્વાદ છે, તેથી નુકસાન ઓછું થશે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવી માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન કાર્યાલય દરેક જિલ્લા સાથે સીધો સંપર્ક જાળવી રહ્યું છે. બુધવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ જણાવ્યું છે કે, આ વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ ન થવી જોઈએ અને અમે તેમના માર્ગદર્શન હેઠળ આવી જ વ્યવસ્થા કરી છે. ગાંધીનગરમાં બનેલા કંટ્રોલરૂમમાં આપણા મુખ્યમંત્રી બેઠા છે. મુખ્યમંત્રી રોજના 6 થી 7 કલાક કંટ્રોલરૂમમાં બેઠા હોય છે.
અમે પેટ્રોલ પંપ પર એક અઠવાડિયા માટે પેટ્રોલની વ્યવસ્થા કરી છે. તમામ રાશનની દુકાનો પર એક સપ્તાહના રાશનની વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
