Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોયને કારણે 67 ટ્રેન રદ્દ, જાણો અન્ય ખાસ અપડેટ
Cyclone Biporjoy Update : હાલ ગુજરાતમાં ચક્રવાત બિપોરજોયનું જોખમ તોળાઇ રહ્યું છે. ચક્રવાતને કારણે ઘણા લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આવામાં આ ચક્રવાતની અસર રેલવે પર પણ પડી છે. ચક્રવાત બિપોરજોયના જોખમને ધ્યાનમાં રાખીને 67 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
બિપોરજોય ગુરુવારના રોજ જખૌમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સીપીઆરઓ પશ્ચિમ રેલવે દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

બિપોરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાવચેતીના પગલા તરીકે ચક્રવાત સંભવિત વિસ્તારોમાં 67 ટ્રેનોના સંચાલનને સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન મુસાફરો માટે સુરક્ષા સંબંધિત વિવિધ સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો ચક્રવાત બિપરજોયને પગલે ગુજરાતના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યા છે, એમ સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મનીષ પાઠકે સોમવારે જણાવ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને તમામ નિવારક પગલાં લીધા છે.
DDG પાઠકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, અમે તમામ માછીમારોને ચેતવણી આપી છે, જોકે, ભારતના પશ્ચિમ કિનારે 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ ચાલુ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપોરજોયને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તેમજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
એક સત્તાવાર નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને બહાર કાઢવા અને વીજળી, ટેલિકોમ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
