દલિતો અને પાટીદારો વચ્ચેની ઝપાઝપીમાં દલિત યુવકનું મૃત્યુ
આણંદઃ ગરબા જોવાના મુદ્દે પાટીદારો અને દલિત યુવકો વચ્ચે થયેલ ઝપાઝપીમાં દલિત યુવકનું મોત
આણંદના બોરસદ તાલુકાના ભાદરણીયા ગામ ખાતે 8 પાટીદાર યુવકોએ દલિત યુવકને માર મારતા તેનું મૃત્યુ થયું હતું. શનિવારે રાત્રે બનેલ આ ઘટના બાદ દલિત સમાજ રોષે ભરાયો હતો અને રવિવારે સવારે તેમણે ભાદરણના પોલીસ મથક જઇ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી. ગરબા જોવાના મામલે થયેલ બોલાચાલીમાં આઠેક જેટલા પાટીદાર યુવકોએ દલિત યુવકને માર મારતા તેનું મૃત્યુ થયુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દશેરાની રાત્રે 21 વર્ષીય જયેશ સોલંકી, તેનો પિત્રાઇ ભાઇ પ્રકાશ સોલંકી તથા કેટલાક મિત્રો ગામના મહાદેવ મંદિર પાસે થતા ગરબા જોવા ગયા હતા. ત્યારે સવારે લગભગ 4.30 જેવાએ સંજય ઉર્ફે ભીમો ઠાકોર પટેલ તેમની પાસે આવ્યો હતો અને તેમના ગરબા જોવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભીમાએ તેમને જાતિવાચક શબ્દો કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ભીમો દૂર જઇ પોતાના અન્ય સાથીદારોને બોલીવી લાવતા બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. શિવ યુવક મંડળના લોકોને આ વાત ધ્યાનમાં આવતાં તેમણે બંને જૂથને છૂટા પાડ્યા હતા. આ દરમિયાન જયશે બેભાન થઇ ગયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે જયેશના પરિવાર દ્વારા એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
