For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષામંત્રી નિર્મલા સીતારામન શહીદની માતાને લાગ્યા પગે

રક્ષામંત્રી નિર્મલા સીતારામનને સિહોરીની શહિદ રમેશભાઇની માતાના પગ સ્પર્શી લીધા આશીર્વાદ. ઉલ્લેખનીય છે કે આવું આ પહેલા કદી કોઇ રક્ષામંત્રી નથી કર્યું. જાણો આ અંગે વિગતવાર અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભારતના પહેલા મહિલા રક્ષામંત્રી નિર્મલા સીતારામન સોમવારે જામનગરમાં ચાંદની બજાર ચોક ખાતે જનસભાને સંબોધવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા નિર્મલા સીતારમનનો પ્રચાર માટે ખાસ ગુજરાતમાં ઉતારવામાં આવ્યા છે. અને તેમણે કોંગ્રેસ પર આકાર પ્રહારો પણ કર્યા હતા. પણ આ પહેલા મંચ પર શહીદના પરિવારોને પણ બોલવવામાં આવ્યા હતા. જેમાં કારગીલના શહીદ શ્રી રમેશભાઇ જોગલની માતા મંચ પર આવતા રક્ષામંત્રીએ નીચે વળીને તેમના પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રી એક ઊંચો હોદ્દો કહેવાય છે. અને આ પહેલા ભાગ્યે જ તેવું બન્યું છે કે કોઇ રક્ષામંત્રી કોઇ શહીદની માતાને પગે લાગ્યા હોય.

Nirmala Sitharaman

જો કે આ સમગ્ર ઘટના ચૂંટણી તરીકે રાજકીય રીતે પણ જોવામાં આવે છે. પણ નિર્મલા સીતારામનનું કહેવું છે કે તે આ રીતે પગે શહીદો પ્રત્યે તેમનો આદર રજૂ કરવા માટે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહીદ રમેશભાઇ જોગલ ગુજરાતના સિહોરીના વતની છે. અને કારગીલ ખાતે તેમણે શહાદત વહોરી હતી. ત્યારે રક્ષામંત્રી અચાનક જ આ રીતે શહીદની માતાને પગે લાગતા ત્યાં હાજર લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. તો બીજી તરફ જામનગરમાં રક્ષામંત્રી નિર્મલાએ મહિલા શક્તિ સંમેલનમાં પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે આઝાદીના આટલા વર્ષો પછી ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર કોઇ મહિલા અધિકારીને રક્ષામંત્રી જેવી મહત્વની પોસ્ટ આપવામાં આવી છે.

English summary
Nirmala sitharaman pays respect to the mother of Kargil Martyr by touching her feet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X