વિપક્ષ નેતાની પસંદગી મામલે હવે કોંગ્રેસમાં ઘમસાણ
કોણ બનશે વિપક્ષના નેતા? આ મામલે કોંગ્રેસમાં કકળાટ આ અંગે વધુ જાણો અહીં...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક વિગ્ર વ્યાપ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ પરષોત્તમ સોલંકીએ ખાતાની ફાળવણી બાબતે નારાજગી વ્યક્ત કરી છે અને તેમને સમજાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં વિપક્ષના નેતાના નામે પ્રશ્નાર્થ મુકાયો છે. વિપક્ષના નેતા તરીકે શરૂઆતથી જ પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યાં હતું, પરંતુ હવે આ અંગે કુંવરજીભાઇ બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી છે.

કુંવરજી બાવળિયાએ સિનિયોરિટીના આધારે વિપક્ષના નેતા બનાવનો દાવો રજૂ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે હાઇકમાન્ડનો નિર્ણય માન્ય રાખવામાં આવશે. સૌરાષ્ટ્રની 54 પૈકી 30 બેઠકો અપાવી છે, માટે સૌરાષ્ટ્ર હકદાર છે. હું ચારવાર ધારાસભ્ય અને એક ટર્મમાં સાંસદ રહી ચૂક્યો છું અને આથી સિનિયોરિટીમાં હું આગળ છું. કહેવાઇ રહ્યું છે કે, આ મામલે હાઇકમાન્ડ મનોમંથન કર્યા બાદ બુધવારે સાંજે કે ગુરૂવારે વિપક્ષના નેતા અંગે જાહેરાત કરશે અને આ અંગે ધારાસભ્યોનો મત પણ જાણવામાં આવશે. બુધવારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની મળી પ્રથમ બેઠક અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
