સુરતમાં હિરાની પરખનું સેન્ટર સાર્થક નીવડશેઃ સૌરભભાઈ પટેલ
સુરત, 4 એપ્રિલ: નાણામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે શુક્રવારે સુરત શહેરના કતારગામ વિસ્તારના ઇન્ડીયન ડાયમંડ ઈનસ્ટીયુટ ખાતે ડાયમંડ ડિટેક્શન એન્ડ રિસોર્સ સેન્ટરનું ઉદ્દઘાટન સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ડાયમંડ ઈન્સ્ટીયુટને અભિનંદન આપતા મંત્રી જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાતોરાત કરોડપતિ થવાના અભરખાને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટુ નુકશાન કરી રહયા છે. તેવા સમયે હિરાની પરખનું સેન્ટર આ ઈન્સ્ટીયુટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે ખરા અર્થમાં સાર્થક નીવડશે. વિપુલ રોજગારીની તકો પૂરો પાડતો આ બિઝનેસ વિશ્વાસ પર ટકેલો છે અને તેને કાયમ માટે જાળવી રાખવો એ સૌની જવાબદારી છે. આ ઉદ્યોગ વધારેમાં વધારે વિકસે તેના માટે રાજય સરકાર પણ પૂરતી સહાય કરવા હંમેશા તત્પર રહી છે.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીયુટ અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના સંયુકત નેજા હેઠળ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે શરુ થવાથી લધુ અને મધ્યમ હીરાના કારખાનેદારો, હીરાનું ટ્રેડીગ કરતા વેપારીઓ, જવેલર્સોને કુદરતી હીરાના પાર્સલમાંથી સિન્થેટીક હીરાની સંભવિત ભેળસેળને અલગ કરવા, ઝડપી ટેસ્ટીગની સુવિધા કિફાયતી દરે પુરી પાડવાનો ઉપરાંત સિન્થેટીક ડાયમંડ વિશે ડાયમંડ ડ્રેડને સાચી ટેકનીકલ માહિતીથી માહિતગાર કરવાનો હેતુ રહેલો છે.
આ વેળાએ સ્વાગત પ્રવચન જે.જી.ઈ.પી.સી.ના પંકજ પારેખે જયારે આભારવિધિ ચંદ્રકાંત સંધવીએ આટોપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણી, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરત ડાયમંડ એસોસીયેશનના પ્રમુખ દિનેશભાઇ નાવડીયા, ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ ધોળકીયા, સેવતીલાલ શાહ તેમજ મોટી સંખ્યામાં ડાયમંડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
