For Quick Alerts
For Daily Alerts
ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીએ કરી શસ્ત્ર પુજા
દશેરાના અવસર પર વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે કરી શસ્ત્ર પૂજા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ રહ્યા હાજર. પત્ની સાથે રૂપાણીએ કરી પૂજા.
દશેરાના પાવન અવસર પર લોકો વાહન અને શસ્ત્રોની પૂજા કરતા હોય છે. આ દિવસે શસ્ત્ર પૂજાના અનેરું મહત્વ છે. ત્યાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સુરક્ષાકર્મીઓની હાજરીમાં શસ્ત્ર પૂજાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજય રૂપાણી અને તેમની પત્નીએ વિધિગતરીતે શાસ્ત્રોની પૂજા કરી હતી. નોંધનીય છે કે આ પરંપરા દર વર્ષે જે તે સમયમાં મુખ્યમંત્રી દ્વારા નિભાવવામાં આવે છે. આ પહેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અને નરેન્દ્ર મોદીએ પણ આ રીતે શસ્ત્ર પૂજા કરતા આવ્યા છે.
ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સુરક્ષા કર્મીઓએ આ શાસ્ત્ર પૂજામાં હાજરી આપી હતી. અને તમામ શસ્ત્રોને સારી રીતે ફૂલો સાથે સજાવીને આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના તમામ નાગરિકોને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી.
Comments
English summary
Dussehra : Gujarat CM vijay rupani performed 'Shastra Puja' at Gandhinagar.
Story first published: Saturday, September 30, 2017, 14:26 [IST]