Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ

દ્વારકામાં વુદ્ધો અને દિવ્યાંગો માટે ફ્રી ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ કામગીરી વિષે વધુ જાણો અહીં

દ્વારકામાં દિવ્યાંગ તથા વડીલ પ્રવાસીઓ માટે ઇ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાને કારણે યાત્રાધામનું વાતાવરણ પણ સ્વચ્છ રહે તે હેતુ સાથે ઇ રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાનો પ્રારંભ ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાવવામાં આવ્યો છે. અને આ નિર્ણયને પગલે પાલિકાઓ 10 ઇ રિક્ષાઓ ફાળવી છે જે કાર્યરત થઈ ચૂકી છે. મંદિર પરિસરથી મંદર ધણું દૂર છે ત્યારે ખાસ કરીને વૃદ્ધો, અશક્તો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

Gujarat

જગત મંદિર સુધી પહોંચવા વૃદ્ધો અને દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇ રિક્ષાનો પ્રારંભ નગર પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ સુવિધા સચવાઈ રહે તેની જવાબદારી હાલ દ્વારકા નગરપાલિકાના શીરે રાખવામાં આવી છે. આ રિક્ષાઓ દ્વારકા જતા જગત મંદિરના માર્ગ પરથી દિવ્યાંગ, અશક્ત તેમજ વૃદ્ધોને છેક જગત મંદિર સુધી પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસન ક્ષેત્રે પણ વધુ પ્રવાસીઓ લાભ લઈ શકે છે. અને પ્રવાસનને પણ વેગ મળશે આ સેવા હાલમાં વિનામૂલ્ય જ ચાલી રહી છે. અન તેને વધુ અસરકારક કેવી રીતે બનાવવી તે અંગે પાલિકાની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X