ગુજરાતઃ જામનગર અને મહુવામાં ભૂકંપના આંચકા અનુભવાયા
જામનગરમાં 2.6, મહુવામાં 3.8 તેમજ ગોંડલમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. લો
ગુજરાતના રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ગઈ કાલે રાજકોટમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સતત બીજા દિવસે પણ કોટડાસાંગાણીના હડમતાળા અને અરડોઈ ગામમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં તેમજ જામનગરમાં 2.6, મહુવામાં 3.8 તેમજ ગોંડલમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી. જામનગરમાં બે આંચકા આવ્યા હતા. જામગનરથી 26 કિમી દૂર સાઉથ ઈસ્ટમાં તેનુ એપિસેન્ટર નોંધવામાં આવ્યુ છે. આ આંચકા સવારે આઠ વાગે અનુભવાયા હતા. ભચાઉમાં પણ એક આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલા માઉન્ટ આબુમાં 4.0 તીવ્રતાનો અને 8 મહિના પહેલા સિલવાસા, દાદરા નગરહવેલીમાં 4.0 મેગ્નીટ્યુની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
