કચ્છમાં ભૂકંપના આંચકા, કોઈ નુકસાન નહીં
કચ્છમાં ભૂકંપના આંચકા, કોઈ નુકસાન નહીં
કચ્છ જિલ્લામાં રવિવારે 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જો કે આ ભૂકંપ ઓછી તીવ્રતાનો હોવાથી કોઈપણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. ગાંધીનગર સ્થિત ભૂકંપ વિજ્ઞાન અનુસંધાન સંસ્થાન (ISR)એ કહ્યું કે ભૂકંપ સવારે 8:38 વાગ્યે આવ્યો હતો જે દુધઈના 26 કિમી ઉત્તર - ઉત્તર પૂર્વમાં 9.3 કિલોમીટરની ઉંડાઈએ કેન્દ્રિત હતો.
કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકમે કહ્યું કે આ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી. અમદાવાદથી 300 કિલોમીટરથી વધુ દૂર 'અત્યધિક ઉચ્ચ ભૂકંપીય ક્ષેત્ર'માં આવેલ કચ્છમાં નિયમિત રૂપે હળવા આંચકાઓ આવતા રહે છે.
અગાઉ આ વર્ષે 21 ઓગસ્ટે જિલ્લામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર ધોળાવીરાની નજીક હતું.
ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી મુજબ વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપ ગત બે સદીમાં આવેલ ત્રીજો સૌથી મોટો અને ભારતમાં સૌથી વિનાશકારી ભૂકંપ હતો જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.