Earthquake: ગુજરાતમાં મોડી રાતે હલી ધરતી, 3.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા
Earthquake: મંગળવારે મોડી રાત્રે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભાવનગરથી પાંચ કિલોમીટર નીચે હતું. NCS અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
મંગળવારે રાત્રે જ્યારે લોકો જમીને ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘોઘા તાલુકાના ખાસ કરીને કુકડ, ગોરીયાળી, કંટાળા, ભાખલ, લાકડીયા નવાગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગરના ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલૉજી રિસર્ચ સેન્ટરે જાહેર કર્યુ હતુ કે ભાવનગરમાં જિલ્લામાં આવેલ 3.2ની તીવ્રતાનો આંચકો 9.52 કલાકે અનુભવાયો હતો. તેની ઉંડાઈ 11.7 કિમી હતી. ભાવનગરથી 17 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં 11.7 કિમી ઉંડાઈએ કેન્દ્ર હતુ. ભૂકંપ બાદ જાનહાનિના કોઈ સમાચાર નથી તેમ ભાવનગર કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
https://gujarati.oneindia.com/movies/bollywood/dhanush-and-aishwarya-rajinikanth-divorce-application-filed-18-years-of-marriage-is-coming-to-end-129019.htmlઆ પહેલા 1 ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો તેમજ મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ સાંજે 4.44 કલાકે આવ્યો હતો.
રિક્ટર સ્કેલમાં 1થી 10 સુધીની સંખ્યાઓ હોય છે. 1થી 3 સુધીની તીવ્રતાવાળા ધરતીકંપનો અનુભવ સામાન્ય રીતે ઓછો થાય છે. 4થી 7 સુધીની તીવ્રતાવાળા ધરતીકંપો તીવ્રતાથી અનુભવાય છે અને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ 7થી વધુની તીવ્રતાવાળા ધરતીકંપ વિનાશક હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યા હતા. ભારતમાં સતત વધી રહેલા ભૂકંપની સંખ્યા પાછળ એક ડરામણો ખુલાસો સામે આવ્યો છે. ભારતીય ટેકટોનિક પ્લેટ તિબેટની નીચે ફૂટી રહી છે. જેના કારણે દેશની રક્ષા કરતા હિમાલયની ઉંચાઈ પણ વધી રહી છે.
આ પહેલા ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ મંગળવારે આ જાણકારી આપી. પશ્ચિમ પાપુઆના પૂર્વ પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
શિન્હુઆ ન્યૂ એજન્સીના અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.1 દર્શાવી હતી પરંતુ બાદમાં તેમાં સુધારો કર્યો હતો. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ જકાર્તાના સમય મુજબ મંગળવારે સવારે 07.02 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં અને દરિયાની સપાટીથી 11 કિમીની ઊંડાઈએ હતું.
-
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
