For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ECએ ભડકાઉ ભાષણ બદલ કોંગ્રેસના નેતાઓ સામે FIR નોંધી

|
Google Oneindia Gujarati News

election-commission-logo
નવી દિલ્હી, 26 ઑક્ટોબર : ચૂંટણી પંચે ગુજરાતમાં આવી રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાગ રૂપે ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી જાહેર સભામાં ધાર્મિક લાગણી ઉશ્કેરવા બદલ એક ધાર્મિક નેતા અને કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

પંચે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ સૂરત જિલ્લા ન્યાયાધીશને આદેશ કરે કે તેઓ કોંગ્રેસના ત્રણ નેતાઓ કાદીર પિરઝાદા, મક્સૂદ એ કાઝી અને રિઝવાન ઉસ્માની સામે એફઆઇઆર નોંધાવે. આ ઉપરાંત ધાર્મિક નેતા મૌલાના ફૈયાઝ લાતુરી સામે પણ ફરિયાદ નોંધાવે.

ચૂંટણીપંચે તમામને 29 ઑક્ટોબર સુધીમાં તેમની સામે પગલાં કેમ ભરવામાં ના આવે તે અંગેનો લેખિત ખુલાસો આપવા જણાવ્યું છે. પિરઝાદા અને મૌલાના લાતુરીએ સૂરત જિલ્લાના માંડવીના તાડકેશ્વરમાં ધાર્મિક લાગણી ઉશ્કેરવાના ભાષણો આપ્યા હતા. આ અંગે ભાજપના નેતાઓએ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું.

English summary
EC orders FIRs against 3 Cong leaders, religious leader in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X