ખાનગી શાળાઓના ફી નિર્ધારણનો અમલ ચાલુ સત્રથી જ થશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ શાળાઓની ફી અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, દરેક વાલી અને શાળાઓએ ખાસ વાંચવા આ સમાચાર.

ગાંધીનગર ખાતે ખાનગી શાળા ફી નિર્ધારણ મામલે બેઠક મળી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે સરકાર, આ નિર્ણયમાં પીછેહટ કરવાની નથી, ફી નિર્ધારણ બીલ રાજયપાલ પાસે છે. અને થોડા દિવસોમાં સહી થઇને આવશે, નિવૃત્ત જસ્ટીસના સ્થાનિક કક્ષાએ નામ મંગાવી દેવામાં આવ્યા છે.

bhupendra

શિક્ષણ પ્રધાને વાલીઓ ને આડે હાથ લીધા હતા. સાથે - સાથે અપીલ પણ કરી તેમને જણાવ્યું હતું કે વાલીઓમાં નેતા બનવાની હોડ ચાલી છે. શિક્ષણ એ મંદિર છે તે કોઇ સંઘર્ષ કે નેતા બનવાનુ પ્લેટફોર્મ નથી, વાલીઓએ પ્રથમ ત્રિમાસિકની જ ફી ભરવાની રહેશે. વધારે ફી લેનાર સંચાલકોને ફી પાછી આપવી પડશે અથવા સરભર કરવી પડશે, સંચાલકો પણ ત્રિમાસિકથી વધારે ફી ન લે તે માટે જણાવ્યું હતું. સાથે જ સંચાલકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. વધુમાં વર્ષે 2018 થી ધોરણ 9 અને 11 માં એન.સી.ઇ આર.ટી નો અભ્યાસક્રમ સમગ્ર રાજ્યમાં લાગુ કરવાં માં આવશે. રાજ્યની 100 સ્કૂલોમાં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ટેબ્લેટ આપવામાં આવશે.

શિક્ષણ સચિવ જણાવ્યું હતું કે જે શાળા ઓ વધારે ફી લેશે તો તેને વાલીને લીધેલી ફી ડબલ કરીને વાલીને પરત કરવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. સરકારે બનાવેલી કમિટિને ફી નિર્ધારણ સાથે દંડની પણ સત્તા આપવામાં આવી છે. સ્કૂલોને ફી વધારો કરવો હશે તો ફી નિર્ધારણ કમિટિ પાસે ફરજીયાત આવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X