કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અનિલ જોષિયારા પૂત્રએ કર્યો કેસરિયો, ભાજપની નજર આદિવાસી બેઠકો પર
ભિલોડના પૂર્વ ધારાસભ્ય ડૉ અનિલ જોષીયરના પુત્ર કેવળ જોષીયરા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં વિધિવત ભાજપનો ખેસ પહેરી જોડાયા હતા. અનિલ જોષીયરા ભિલોઢા બેઠક પરથી છેલ્લી 5 ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાય આવતા હતા. ડૉ. અનિ
ભિલોડના પૂર્વ ધારાસભ્ય ડૉ અનિલ જોષીયરના પુત્ર કેવળ જોષીયરા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં વિધિવત ભાજપનો ખેસ પહેરી જોડાયા હતા. અનિલ જોષીયરા ભિલોઢા બેઠક પરથી છેલ્લી 5 ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાય આવતા હતા. ડૉ. અનિલ જોષિયારાનો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં જ સારવાર દમિયાન મોત થયુ હતુ.
ભિલોઢા કોંગ્રેસનો ગાઢ માનવામાં આવે છે. ભાજપ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી જંગી બહુમતીથી ચૂંટણી જીતવા માંગે છે. ભાજપની જંગી બહુમતીથી જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકર્તા અમેં આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે.
ભાજપમાં જોડવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું કોઇપણ જાતના વિધાનસભાની ટિકિટના સોડા વગર ભાજપમાં જોડાય રહ્યો છું. મેઘરાજ અને ભિલોડા તાલુકાનો વિકાસ થાય તે મારુ લક્ષ્યાંક છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીના સબ ક સાથ સબ ક વિકાસના સૂત્રને જોયું છે . ગુજરાતનો જે રીતે વિકાસ થાય રાજ્યો છે તે જોતા મેં આ નિર્ણય કર્યો છે.