હિરાના વેપારીએ બેનામી સંપત્તિની વાતને અફવા ગણાવી
જાણો 6000 કરોડની બેનામી સંપત્તિ જાહેર કરવા મામલે સુરતી વેપારીએ શું કહ્યું.
નોંધનીય છે કે એક અંગ્રેજી વેબ સમાચાર પોસ્ટકાર્ડમાં છપાયેલી ખબર મુજબ સુરતના જાણીતા હિરાના વેપારી લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતને ગંભીરતાથી લઇને તેમની 6000 કરોડની બેનામી સંપત્તિ જાહેર કરી છે તેવી વાત જણાવી હતી. જો કે વેબસાઇટનું પણ કહેવું હતું કે આ વાતે હજી સુધી કોઇ પૃષ્ઠી થઇ નથી.
તો બીજી તરફ છેલ્લા બે દિવસથી ગુજરાતના સોશ્યસ મીડિયા પણ આવા જ કેટલાક સમાચારો ફેલાઇ રહ્યા હતા. જેમાં હિરાના વેપારી અને બ્લિડર વેપારીની બેનામી સંપત્તિ જાહેર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં સાથે જ આ અંગે કરોડોનો દંડ ભરવાની પણ વાત ઉલ્લેખવામાં આવી હતી.

લાલજીભાઇની સ્પષ્ટતા
જે પર હિરાના વેપારી લાલજીભાઇ પટેલ સ્પષ્ટતા આપી છે કે આ તમામ સમાચારો અફવા છે. તેમણે જણાવ્યું કે "હું તો ખાલી એક હિરાનો વેપારી છું અને બિલ્ડીંગ ક્ષેત્ર સાથે તો બિલકુલ પણ જોડાયો નથી. વધુમાં મારો તો હિરા એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વેપાર છે. માટે આવા મેસેજ તદ્દન ખોટા અને અફવા જ છે"

અફવાનું બજાર ગરમ છે
નોંધનીય છે કે જ્યારથી 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થઇ છે વિવિધ પ્રકારની અફવાઓથી બજાર ભરાયેલુ રહે છે. પહેલા પણ મીઠા ખાંડના ભાવ વધવાની અફવા અફરાતફરી મચાવી ચૂકી હતી. તો વળી કેટલીક જગ્યાએ નોટો ખૂટી પડી હોવાની વાતો પણ સાંભળવા મળી હતી.

અધિકારીઓની પણ સ્પષ્ટતા
તો બીજ તરફ આ અંગે ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા અધિકારીઓએ પણ સ્પષ્ટતા આપી છે કે તેમની પાસે આવી કોઇ મોટી બેનામી સંપત્તિ જાહેર થઇ હોય તેવી માહિતી નથી.

કોણ છે લાલજી પટેલ?
ત્યારે સુરતના હિરાના આ જાણીતા વેપારી લાલજી પટેલ વિષે કેટલીક અન્ય વાતો જાણો અહીં...
- બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ 10000 કન્યાઓની શિક્ષા માટે આ જ વેપારી કર્યું હતું 200 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
- 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પીએમ મોદીનો શૂટ
- કર્મચારીઓને બોનસના રૂપે આપી હતી કાર અને એપાર્ટમેન્ટ.
- નોંધનીય છે કે લાલજી પટેલ મોદીના જૂના સમર્થકોમાંથી એક છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
