30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ્દ કરવા યોજાશે સંમેલન
Agricultur News: 30 જાન્યુઆરીના રોજ ખંભાળિયા ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂતોને ઉમટી પડવા માટે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ હાંકલ કરી છે.
આ ખેડૂત સંમેલનમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો 70 થી 80 ટકા મળવાપાત્ર હતો, તે આપ્યો નથી તેની પણ માંગ આ સંમેલનમાં કરવામાં આવશે.
વાછરાવાવ દલવાડી હોટેલ પાસે ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ સવારે 9.30 કલાકે ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટનના લોલીપોપથી હવે ખેડૂતો થાકી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્ને 30 જાન્યુઆરીએ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે.
જમીન માપણીના પ્રશ્ને આખા ગુજરાતના ખેડૂતો, આગેવાનોને પાલભાઈ આંબલિયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.

આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 272 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરવામાં આવશે.
પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 11 - 11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, તેમ છતા પણ પરિણામ શૂન્ય છે. 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી.
ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં સરકાર 1 ગામનો નકશો સુધારી શકી નથી ત્યારે આ માપણી સંપૂર્ણપણે રદ્દ જ કરવી જોઈએ. 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી.
છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદ્ઘાટન થાય છે. ઉદ્ઘાટન પછી સરકાર ભૂલી જાય છે, ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી.
આ ખેડૂત સંમેલનમાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સાથે ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો પણ આ ખેડૂત સત્યાગ્રહમાં ઉપસ્થિત રહેશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
