Farmer Protest : પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો અનોખો વિરોધ, કરી ઇચ્છા મૃત્યુની માંગ
Farmer Protest : રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખેડૂતોએ તેમના પાકના યોગ્ય ભાવ ન મળતા અનોખી રીતે ધરણાં કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
Farmer Protest : ધોરાજીમાં ખેડૂતો તેમના પાકનો યોગ્ય ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવા માટે ધરણા કર્યા હતા. આ દપમિયાન વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે નારાબાજી પણ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતોએ ખેતરમાં સમાધી પણ લીધી હતી. આ દરમિયાન તેમણે માંગ કરી હતી કે, સરકારે અમારા પાકના યોગ્ય ભાવ આપવા જોઇએ.

બજારમાં પાકના યોગ્ય ભાવ મળતા નથી
પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતો જીવ આપી દેશે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે દયનીય બની રહી છે. કોઈ વ્યક્તિગત કિંમત ઉપલબ્ધ નથી. ઘઉં, કપાસ, સોયાબીન, મગફળી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ ન મળવાને કારણે ખેડૂતો પણ પરેશાન છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ બજારમાં મળતા નથી. ખેડૂતોએ તેમના ખેતરોમાં ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હોવાનું જાણવા મળે છે.
ખેડૂતોએ કર્યું અનોખું પ્રદર્શન
ધોરાજીના ખેડૂતોએ સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે રવિવારના રોજ તેમના ખેતરોમાં અનોખું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખેડૂતોએ ખેતરમાં જ ખાડો ખોદી તેમાં સમાધિનો કાર્યક્રમ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કર્યા બાદ પણ ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતોએ ગુજરાત સરકાર સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે.
વાડીમાં અંતિમ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
આ દરમિયાન ખેડૂતોએ અંતિમ સંસ્કારનો કાર્યક્રમ યોજ્યો હતો અને એક કાગળ પર લખાણ લખવામાં આવ્યું હતું કે, સરકાર કાં તો ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ચૂકવે અથવા ખેડૂતોને સ્વૈચ્છિક મૃત્યુની પરવાનગી આપે. વિરોધ દરમિયાન ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.












Click it and Unblock the Notifications
