Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડૂતોને નહીં રહે પાણીની અછત, જળ સંપત્તિ મંત્રીએ લીધા પગલા

પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના 86 તાલુકાઓમાં આશરે રૂપિયા 38 કરોડનાં ખર્ચે ખેત તલાવાડીમાં 27.30 લાખ ચોરસમીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન-500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે ખેડૂત ખાતેદારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.

આ અરજીઓના અનુસંધાને આજે તારીખ 23 જાન્યુઆરી, 2024 ના રોજ મળેલી અરજીઓ પૈકી 40 તાલુકાઓમાં 2636 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજવામાં આવ્યો હતો.

Water Resources Minister Kuvarji bavaliya

જળ સંપતી મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાથી અંદાજે આશરે 100 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના થકી 2400 હેક્ટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે, અને ભૂગર્ભ જળનું ખેચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.

આ ઓનલાઈન ડ્રો કરાયો જેના પરિણામો પણ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય બાબત છે કે, આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય અને વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X