ઇશરત કેસ: ગિરિશ સિંઘલનું IPS પદેથી રાજીનામું

વધારાના મુખ્ય સચિવ (ગૃહ) એસ કે નંદાએ 27 ફેબ્રુઆરીએ લખેલા રાજીનામામાં ગિરિશ સિંઘલે કહ્યું હતું કે 'હું ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપું છું. હાલમાં હું પોલિસ અધિક્ષકના પદ પર છું. હું મારું દુખ અને વ્યસ્થા વ્યક્ત કરવા માંગું છું કે હું અનુભવું છું કે વિભાગ તથા સરકાર એક પોલીસકર્મી તરીકે મને શિકાર થવાથી મને બચાવવામાં નિષ્ફળ રહ્યાં.'
એસ કે નંદાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે 'અમને ગિરિશ સિંઘલ દ્રારા રાજીનામું એક આવેદનપત્ર મળ્યું છે. પરંતુ તેના પર સહી કરવાનો મને અધિકાર નથી.' તેમને કહ્યું હતું કે 'પહેલાં અને સહીની ચકાસણી કરીશું. અત્યારે પોલીસની કેદમાં છે. કોઇ પોલીસ અધિકારીને જો 48 કલાક સુધી કેદમાં રહે છે તો તેને સસ્પેન્ડ માનવામાં આવે છે ત્યારબાદ તે સેવા નિવૃત્તિ બાદ મળનાર લાભ લઇ શકતો નથી અને ના તો તેના રાજીનામાનો મતલબ છે.'
રાજ્ય ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોમાં પોલીસ અધિક્ષક તરીકે ગિરિશ સિંઘલની સીબીઆઇએ 21 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. કથિત એન્કાઉન્ટર વખતે તે અમદાવાદમાં ડીસીબીમાં સહાયક પોલીસ અધિક્ષક હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના થાણે જિલ્લા સ્થિત મુંબ્રાની 19 વર્ષીય છોકરી ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઇ અને બે કથિત પાકિસ્તાની નાગરિકો અમજદ અલી રાણા અને જિશાન જૌહરની 15 જૂન 2004ને અમદાવાદ તથા ગાંધીનગર વચ્ચે એક એન્કાઉટરમાં હત્યા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
