For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટના નિર્ણય બાદ મોદીની પહેલી પ્રતિક્રિયા, 'સત્યમેવ જયતે'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 ડિસેમ્બરઃ ગુજરાત 2002 રમખાણ કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે રાહતના સમાચાર આવ્યા હતા. અમદાવાદની સ્થાનિક કોર્ટ દ્વારા જાકિયા ઝાફરીએ કરેલી અરજીને ખારીજ કરવામાં આવી હતી અને સિટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલને યોગ્ય માની મોદીને ક્લિન ચિટ આપી હતી. કોર્ટના આ નિર્ણય બાદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તેમણે સત્ય મેવ જયતે એવું કહ્યું છે.

narendra-modi
નોંધનીય છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રતિક્રિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર આપવામાં આવી છે. અમદાવાદની કોર્ટના ચૂકાદા બાદ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, સત્ય મેવ જયતે,સત્યનો વિજય થયો છે. સત્યનો સ્વાભાવ સાફ હોય છે. અજ્ઞાનતાના જેટલા જાળા દૂર કરશો તેટલો સત્યનો માર્ગ સ્પષ્ટ દેખાશે-મહત્મા ગાંધી.

નોંધનીય છે કે, અમદાવાદની કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો અને આ રિપોર્ટને માન્ય ગણ્યો છે. એસઆઇટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પરંતુ રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જાકિયા ઝાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો. આ મામલામાં 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.

English summary
first reaciton of modi on court upholds SIT closure report. modi tweets, Truth alone triumphs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X