For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ મનથી હારી ગયેલ પાંચ લોકોએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદઃ મનથી હારી ગયેલ પાંચ લોકોએ જીવન ટૂંકાવ્યું

|
Google Oneindia Gujarati News

ક્યારેક લોકો નાની મોટી વાતોને દિલ પર લઈ લેતા હોય છે અને આવેશમાં એવું પગલું ભરી લેતા હોય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અમદાવાદમાં પણ આવા જ પાંચ કિસ્સા સામે આવ્યા છે. પહેલી ઓગસ્ટે અમદાવાદના વિવિધ કેસમાં 4 મહિલા અને 1 પુરુષે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યાના કેસમાં વ્યક્તિ તો પોતાની મુશ્કેલીઓને પડતી મૂકીને ચાલ્યો જાય છે પરંતુ તેના પરિજનોએ અંતે ભોગવવાનો વારો આવતો હોય છે.

વાડજનોના બરખાબેન ખેમચંદાણીએ આત્મહત્યા કરી

વાડજનોના બરખાબેન ખેમચંદાણીએ આત્મહત્યા કરી

જુના વાડજના ઝુલેલાલ મંદિરની બાજુમાં રહેતા બરખાબેન મહેશાઈ ખેમચંદાણીએ અગમ્ય કારણસર પહેલી ઓગસ્ટે બપોરે 1થી 6 વાગ્યા દરમિયાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુશિલાબેને જીવન ટુંકાવ્યું

સુશિલાબેને જીવન ટુંકાવ્યું

જવાહરચોક રામદેવપુરામાં રહેતા સુશિલાબેન ભરતભાઈ વાળએ ગુરુવારે સાંજે 1 વાગ્યે એસિડ પી લીધુ હતી. સારવાર અર્થે તેમને સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનાબેન તીવારીએ જીવન ટુંકાવ્યું

ભાવનાબેન તીવારીએ જીવન ટુંકાવ્યું

અન્ય એક કેસમાં સીતાબાઈની ચાલી ઉત્તમ ડેરી, અમરાઈવાડી પાસે રહેતા ભાવનાબેન રામરાજ તીવારીએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. અમરાઈવાડી પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. એઆર ચૌધરી આ મામલાની તપાસ ચલાવી રહ્યા છે.

વધુ એક આત્મહત્યા

વધુ એક આત્મહત્યા

વધુ એક કેસમાં શ્યામા પ્રસાદ મુખરજીનગર, ચાર માળીયા વટવા ખાતે રહેતા તસ્લીમબાનુ મોહમદઅનવર અંસારીએ આત્મહત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો છે. તસ્લીમબાનુએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વટવા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માધવપુરાના ધર્મેન્દ્રભાઈ રામીને છેતરી ઠગે અઢી કરોડ ખંખેર્યા માધવપુરાના ધર્મેન્દ્રભાઈ રામીને છેતરી ઠગે અઢી કરોડ ખંખેર્યા

દાણીલીમડાનો કેસ

દાણીલીમડાનો કેસ

ઉત્તમનગરમાં રહેતા નિલેશ શંકર પરમારે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો છે. લાંબા સમયથી નિલેશકુમાર પરમાર બીમારીમાં સપડાયા હતા. દાણીલીમડા પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર એમજે કુરેશી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

English summary
five people attempted suicide in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X