વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે
રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દેશની વિદેશનીતિને નવી ઉંચાઇએ લઇ જનારા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર તારીખ 29 જાન્યુઆરી, સોમવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર જનસુખાકારીના વિવિધ કામોના લોકાર્પણ કરવાની સાથે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે. તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે એકતાનગર ખાતે આઇએચસીએલ સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરશે.

આઇએચસીએલ સ્કીલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે. ત્યાર બાદ તેઓ બપોરે અઢી કલાકે ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેશે. તત્પશ્ચાત 3.45 કલાકે રાજપીપળા સ્થિત ચિલ્ડ્રન હોમની મુલાકાત લઇ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરશે. 4.30 કલાકે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આ કાર્યક્રમ બાદ 5.15 કલાકે લાછરસ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કરશે.












Click it and Unblock the Notifications
