સિંહણને છંછેડતો વીડિયો, ગીર ફોરેસ્ટે શરૂ કરી તપાસ
જુનાગઢ, 24 નવેમ્બરઃ ફેસબુક અને વોટ્સએપ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છેલ્લા બે દિવસથી એક વીડિયો ક્લિપ ફરતી થઇ છે, જેમાં ગીરના જંગલમાં એક વ્યક્તિ દ્વારા સિંહણ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેને છંછેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તમામ વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચિંતા અને રોષની લાગણી પ્રસરી ગઇ છે. બીજી તરફ વન વિભાગ દ્વારા આ વીડિયો ક્લિપને લઇને તપાસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
યુટ્યૂબમાં અપલોડ કરવામાં આવેલી ક્લિપમાં અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં એક વ્યક્તિ બિમાર સિંહણની પૂંછડીને ખેંચી રહી છે અને તેની મૂવમેન્ટને ચકાસવા માટે તેને લાકડી મારી રહ્યો હતો.
ગીર વનવિભાગના અધિકારી અંશુમન શર્માએ જણાવ્યા પ્રમાણે, તેમણે તેમના સ્ટાફને આદેશ આપ્યા છેકે તેઓ એ વાતની તપાસ કરે કે આ વીડિયોમાં જે વ્યક્તિ દર્શાવવામાં આવી છે તે કોણ છે અને આ વીડિયો કયા વિસ્તારનો છે. આ વીડિયો કેટલી જૂની છે અને આ વીડિયોમાં જે સિંહણ દર્શાવવામાં આવી છે તે કોણ છે જેને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે.
શર્માએ કહ્યું કે, સિંહણની નજીક આ પ્રકારની હરકત કરવી ઘણી જ જોખમી છે, પરંતુ જે પ્રકારે આ વ્યક્તિ એ સિંહણની પૂંછડીને ઉંચકી રહ્યો હતો અને લાકડી વડે તેની મૂવમેન્ટ ચેક કરી રહ્યો હતો, તેનાથી એવું લાગી રહ્યું છેકે આ સિંહણ પેરલાઇઝ્ડ હોઇ શકે છે.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NTgyUR4RQ7M" frameborder="0" allowfullscreen></iframe></center>
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
