ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને મરણોરપાંત પદ્મ ભૂષણ સમ્માન
ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને મરણોરપાંત પદ્મ ભૂષણ સમ્માન
સ્વ. કેસભાઈ પટેલ માર્ચ 1995થી ઓક્ટોબર 1995 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓમાંથી એક હતા, પરંતુ ઓગસ્ટ 2012માં તેમણે ભાજપથી રાજીનામું આપી દીધું અને તે બાદ 2012 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેતા એક નવી રાજનૈતિક દળ ગુજરાત પરિવર્તન પાર્ટીની શરૂઆત કરી.
ગુજરાતના સીએમ રહ્યા, ઈમરજન્સીમાં જેલ પણ ગયા હતા
જો કે, બાદમાં તેમણે પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કરી લીધો. તેઓ 2012ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરથી ચૂંટાયા હતા, પરંતુ અસ્વસ્થ હોવાના કારણે 2014માં રાજીનામું આપી દીધું હતું. ઈમરજન્સી દરમ્યાન જેલ પણ ગયા હતા. તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહ્યા હતા.
RSS સાથે સંબંધ
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ ગુજરાતના વર્તમાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં થયો હતો. તેઓ 1945માં પ્રચારકના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થઈ ગયા. 1975ની ઈમરજન્સી દરમ્યાન તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.
2014માં રાજીનામું આપ્યું
તેઓ 1980ના દશકાથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. તેમમે પહેલાં 2012માં ભાજપ છોડી દીધો અને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી, જેનો બાદમાં ભાજ સાથે વિલય કરી દીધો. તેઓ 2012ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરથી ચૂંટાયા હતા પરંતુ બાદમાં અસ્વસ્થ હોવાના કારણે 2014માં રાજીનામું આપી દીધું હતું.
Republic Day: ગણતંત્ર દિવસ સાથે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ આજે, દિલ્લીમાં કડક સુરક્ષા વ્યવસ્થા