અમદાવાદ, 14 માર્ચ: ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિયામક (ડીજીપી) શ્રીકુમાર ગુરૂવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. શ્રીકુમાર લાંબા સમયથી 2002 સાંપ્રદાયિક રમખાણો માટે કાનૂની લડાઇ લડી રહ્યાં છે અને તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરોદ્ધ મોરચો માંડ્યો છે.
'આપ' ગુજરાત સંયોજક સુખદેવ પટેલે કહ્યું હતું કે 'આરબી શ્રીકુમાર આધિકારીક રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે અને તે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અમારી રાજકીય લડાઇમાં સામેલ થઇ ગયા છે.'
આરબી શ્રીકુમારે કહ્યું હતું કે 'અન્ય ધર્મનિરપેક્ષ પક્ષોએ જનાતાને કરેલા વાયદા પુરા કર્યા નથી. તે ગુજરાતમાં વ્યાપ્ત સતરના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કંઇ કરી રહ્યાં નથી' તેમણે કહ્યું હતું કે 'લોકો કોંગ્રેસ કોંગ્રેસ વિરૂદ્ધ મોટા પાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાનો અનુરોધ કરી રહ્યાં છે પરંતુ તે નિષ્ક્રિય બનેલી છે. તેમણે કહ્યું હતું કે 'ગત અઠવાડિયે જ્યારે અરવિંદ કેજરીવાલ રાજ્યના પ્રવાસ પર આવ્યા હતા અને રાજ્યમાં ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો તો મેં સૂર્યોદય જોયો.'
આરબી શ્રીકુમારે કહ્યું હતું કે 'હું ભ્રષ્ટાચારના અંધારામાં સૂર્યોદય જોઇ રહ્યો છું. આપમાં જોડાવવાનું આ જ કારણ છે.' તેમને પૂછવામાં આવ્યું હતું કે તે પ્રસ્તાવ મળતાં ચૂંટણી લડશે, આરબી શ્રીકુમારે આ પ્રશ્નનો જવાબ ટાળી દિધો હતો, તેમણે કહ્યું હતું કે જ્યારે અમે સેતુ પર પહોંચીશું તો અમે તેને પાર કરવા વિશે નિર્ણય કરીશું.