Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાંધીનગરને ‘વાયબ્રન્ટ નગર’ બનાવવા રૂા. ર૧૮.૭૦ કરોડની જોગવાઇ

gandhinagar
ગાંધીનગર, 18 માર્ચ: પાટનગર ગાંધીનગર સમગ્ર રાજ્યના વિકાસનું પ્રતિબિંબ છે. ગાંધીનગર માત્ર રાજ્યસ્તરે જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિખ્યાત થાય તેવી સંકલ્પના સાથે રસ્તા, ફુટપાથ, પાર્કીંગ, પાણી પુરવઠા, ગટર યોજના અને લાઇટ વ્યવસ્થાના આયોજન દ્વારા ગાંધીનગરને ‘વાયબ્રન્ટ નગર' બનાવવા આધુનિક ઢબે વિકાસ કરાઇ રહ્યો છે. પાટનર યોજના મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, પાટનગર યોજના માટે આ અંદાજપત્રમાં રૂા. ર૧૮.૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં પાટનગર યોજના વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના કિનારે પાંચ શક્તિઓના થીમ આધારીત ‘પંચામૃત ભવન' અને સ્વર્ણિમ પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે રૂા. ૧૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર કોબા એકસપ્રેસ વે માટે રૂા. ૭પ કરોડ અને ગિફટ સિટીને જોડતા સાબરમતી નદી પરના નવા પુલના નિર્માણ માટે રૂા. ૯૦.૮ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ઝૂંપડાવાસીઓ પુનઃસ્થાપના માટે આધુનિક સુવિધાઓ સાથે ‘વિવેકાનંદ નગર'નું નિર્માણ કરાશે. ૮૦૦ યુનિટ માટે આ અંદાજપત્રમાં રૂા. ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ગટરનું પાણી શુદ્ધ કરીને નગરના બગીચાઓ તથા સ્વર્ણિમ પાર્કને આપવાનું આયોજન છે. પર્યાવરણને સંતુલિત કરવાની આ યોજના માટે રૂા. ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત મહાત્મા મંદિરમાં બીજા તબક્કામાં સોલ્ટ માઉન્ટ, ગાંધી ગાર્ડન અને પાર્કીંગ વગેરેના નિર્માણ માટે રૂા. રપ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર-હાંસોલ માર્ગ પર આવેલા હાંસોલ બ્રીજને છ માર્ગીય કરવા માટે રૂા. પ૧.૭પ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની બંધારણીય કચેરીઓ માટે બહુમાળી ભવન અને ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની કચેરીઓ માટે બહુમાળી ભવન બાંધવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે.

ગાંધીનગરની હાલની પાણી પુરવઠાની પદ્ધતિને વધુ સંગીન બનાવવા રૂા. રર.૭૧ કરોડના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું છે. જયારે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું પ્રથમ તબક્કાનું કામ અને સચિવાલય કેમ્પસના વિકાસનું પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ થયું છે. રાજ્ય સરકારના નિર્માણના કામોમાં ગુણવત્તા નિયમન માટે રાજ્ય સરકારે વિશેષ પગલાં લીધાં છે. તેનો ઉલ્લેખ કરતાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય યોજનાઓમાં તજજ્ઞો દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન તથા ગુણવત્તા નિયમન માટે અદ્યતન સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ કોન્ટ્રકટમાં ૩ વર્ષ સુધીની નિભાવણીથી જોગવાઇ કરવામાં આવી છે. ગુણવત્તા નિયમન માટે નવા ૬ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે.

પાટનગર યોજના વિભાગમાં વર્ષ ર૦૧ર૧૩માં કુલ ૧૦૯ જેટલા મદદનીશ ઇજનેર (સિવીલ)ની ભરતી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગરની પ૧ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર (સિવીલ) વર્ગ૧ની ર૯ જગ્યાઓ ભરવા માટેનું માંગણીપત્ર જાહેર સેવા આયોગને મોકલી આપવામાં આવ્યું છે, એમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X