જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં ડિજિટલ સ્વાસ્થ્ય પર વૈશ્વિક પહેલનો શુભારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી20 પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની સાથે-સાથે ગ્લોબલ ઇનિશિયેટિવ ઑફ ડિજિટલ હેલ્થનો પ્રારંભ કરવાની સાથે સમાપ્ત થઈ, જેનો ઉદ્દેશ હેલ્થકેરમાં ભવિષ્યનાં રોકાણની અસરને વધારવા માટે પારસ્પરિક જવાબદારીને મજબૂત કરવાની સાથે-સાથે વૈશ્વિક ડિજિટલ હેલ્થ માટે વૈશ્વિક ડિજિટલ હેલ્થમાં તાજેતરના અને ભૂતકાળમાં થયેલા લાભોને મજબૂત કરવાનો છે.

ગુજરાતનાં ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠક પૂર્ણ થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "ચાલો આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીએ, સહયોગને પ્રોત્સાહન આપીએ અને ડિજિટલ હેલ્થ, રિસર્ચ અને ઇનોવેશનની સંભવિતતાનો ઉપયોગ કરીએ, જેથી તમામ માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેરની સમાન સુલભતા સુનિશ્ચિત કરી શકાય. આપણે બહુપક્ષીય સહકાર સુનિશ્ચિત કરવાનું અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવું જોઈએ. વૈશ્વિક આરોગ્યના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા કુશળતા, સંસાધનો અને વ્યૂહરચનાઓનું આદાન-પ્રદાન કરવું મહત્ત્વપૂર્ણ છે." તેમની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ પણ જોડાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રીની બેઠકના બીજા દિવસે ભારતની બે જી20 સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ - સલામત, અસરકારક, ગુણવત્તા અને વાજબી તબીબી પ્રતિકારક ઉપાયો - રસી, થેરાપ્યુટિક્સ અને ડાયગ્નોસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવા અને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચને સહાય કરવા અને હેલ્થકેર સેવા પ્રદાનમાં સુધારો કરવા ડિજિટલ હેલ્થ ઇનોવેશન એન્ડ સોલ્યુશન્સની ઉપલબ્ધતા અને સુલભતા પર સત્રો યોજાયાં હતાં. જી-20 આરોગ્ય પ્રધાનની બેઠકના છેલ્લા દિવસે ભારતીય પ્રમુખપદ હેઠળ પ્રથમ સંયુક્ત નાણાં અને આરોગ્ય પ્રધાનસ્તરીય બેઠક પણ જોવા મળી.
ડૉ.. માંડવિયાએ તબીબી જવાબી પગલાં વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "જી-20 દેશો તરીકે આપણે વૈશ્વિક સહયોગને મજબૂત કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે, જેથી ખાસ કરીને એલએમઆઇસી અને એલઆઇસી પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાન તબીબી પ્રતિકારક પગલાંની સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય."
વૈશ્વિક સહયોગ અને ભાગીદારીનાં મહત્વ પર ભાર મૂકતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "જી-20ના સભ્યો તરીકે સૌથી ઓછા સામાન્ય ભાજકનો લાભ લઈને "લઘુતમ વ્યવહારુ ઉત્પાદન" ઊભું કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ભારતનાં જી-20 પ્રમુખપદે જી-7, ડબ્લ્યૂએચઓ અને જોહાનિસબર્ગ પ્રક્રિયાઓ સહિતના અન્ય મંચો સાથે જોડાણમાં આ એજન્ડાને પ્રાથમિકતા આપી હતી, જેથી "નેટવર્ક ઑફ નેટવર્ક્સ" અભિગમ અપનાવતાં વૈશ્વિક તબીબી પ્રતિરોધક સંકલન વ્યવસ્થા ઊભી કરી શકાય."
ડૉ. માંડવિયાએ પુનરોચ્ચાર કર્યો હતો કે, "કોવિડ -19 મહામારીએ ઉજાગર કર્યું છે કે વિશ્વને કોઈપણ આરોગ્ય કટોકટીનું સંચાલન કરવા માટે, અને સમાન રીતે જરૂરિયાતમંદ લોકો માટે સમાન તબીબી પ્રતિકારક પગલાંની સુલભતા અને ઉપલબ્ધતાની સુવિધા આપવા માટે એક સંકલિત વ્યૂહરચનાની જરૂર છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે "આબોહવા ફેરફારની અસરો એ સૌથી મોટો ખતરો છે જેનો હાલમાં માનવતા સામનો કરી રહી છે અને તેની આરોગ્ય પ્રણાલીઓ પર ભારે અસર પડી રહી છે. મને એ જાણીને આનંદ થયો છે કે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક આ અસરને ઘટાડવા તેમજ વૈશ્વિક આરોગ્ય પ્રણાલીનાં માળખામાં આબોહવામાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા પર કામ કરવા માટે આબોહવા અને આરોગ્ય પહેલની સ્થાપના કરશે."












Click it and Unblock the Notifications
