Gambhira bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો, 4 ઇજનેરો સસ્પેન્ડ
Gambhira bridge Collapse : ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં રેસ્ક્યૂ ટીમો દ્વારા વધુ બે મૃતદેહો મળી આવ્યા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 20 થયો છે.
મળેલા મૃતદેહો કાદવમાં ખૂંપેલા તથા કોહવાયેલી હાલતમાં મળી આવતા ઓળખ કરવી ભારે મુશ્કેલ બની રહી છે. મૃતદેહોની ઓળખ માટે ફોરેન્સિક ટીમોની મદદ લેવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસન અને NDRF સહિતની રેસ્ક્યૂ ટીમો સતત સ્થળ પર કામગીરી કરી રહી છે. ભારે કાદવ અને પાણીના પ્રવાહને કારણે શોધખોળના કાર્યોમાં મુશ્કેલી આવી રહી છે. મૃતકોના પરિવારજનોની વેદનાને લઈ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દુર્ઘટનાની ગંભીરતા અને લોકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગના ચાર ઈજનેરો સામે કડક કાર્યવાહી કરી છે. એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, દુર્ઘટનાને દિવસો વિતી જવા છત્તા હજુ પર મૃતદેહ મળી રહ્યાં છે. હાલની સ્થિતી જોતા હજુ પણ મોતનો આંકડો વધી શકે છે.












Click it and Unblock the Notifications
