સ્મૃતિ ઇરાનીએ કોગ્રેસે સચિન પાયલોટજીને સાચવી નહી શક્યાનો કર્યો આક્ષેપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, ગાંધી પરિવારે ગુજરાતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને એટલા માટે ગાંધી પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, ગાંધી પરિવારે ગુજરાતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને એટલા માટે ગાંધી પરિવારમાંથી કોઇ ગુજરાતમાં તેમના વોટર્સ અને કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા આવતું નથી. ગુજરાતમાં હવે કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઇ ગઇ છે અને એટલે જ રાજનીતિ, રાષ્ટ્રનીતિ અને કાનુન વચ્ચે જેમને અંતર ખબર નથી તેમના વિશે ટીપ્પણી કરવી નિરર્થક છે.

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં કે. જી. થી પી. જી. સુધી બાળાઓને મફતમાં શિક્ષણ આપવાની તેમજ ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી બાળાઓને સાયકલ અને ઇ. ડબલ્યુ. એસ. કેટેગરી આવતી અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓને ઇ-સ્કુટર આપવા ઉપરાંત સીનીયર સિનીઝન મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી કરવા જઇ રહી છે. ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ ગરીબ માં ગરીબ માનવીને રૂ. પ લાખની સહાય આપે છે તે વધારીને રૂ. ૧૦ લાખ સુધીની સારવાર મફતમાં મેળવી શકે તે માટે જોગવાઇ કરી છે.
ભારતીય જનતા પાર્ટીના આ સંકલ્પો અને ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા અત્યાર સુધી કરેલ જનહિતકારી કામગીરીને નિહાળી છે ત્યારે ગુજરાતની જનતા પણ ઇચ્છી રહી છે કે આ વખતની ચૂંટણીમાં પણ ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ભારતના વૈભવને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જનતા જનાર્દન દરેકને એક મોકો આપે છે. ભારતના આ સંસ્કાર,સંકલ્પ કોંગ્રેસને આડખીલી રૂપ છે અને હંમેશા કોંગ્રેસ ભારત અને ભારતની અસ્મિતા વિરૂધ્ધ રહી છે. જે લોકો સચિન પાયલોટજીને સાચવી શકતા નથી તેઓને ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી. અમને ખબર છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે અને તેમ છતાં મતદાન કરવું એ દરેક નાગરિકોનો હક અને અધિકાર છે અને એટલાં માટેજ અમે ગુજરાતની જનતાને તેમના હક અને અધિકારનો ઉપયોગ અને જવાબદારીઓનું નિર્વહન કરી મતદાન કરવા અપીલ કરીએ છીએ.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
