ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો કેમ આ પગલુ ભર્યુ?
એક તરફ ગુજરાત વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.
ગાંધીધામ : એક તરફ ગુજરાત વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મોટા પાયે ધોવાણ થયા બાદ હવે કોંગ્રેસના ગાંધીધામના ઉમેદવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે.

સામે આવેલા અહેવાલો અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ભરત સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ઈવીએમ સાથે છેડછાડ થઈ છે અને ઘણા ઈવીએમના સીલ તુટેલા હતા. જેને લઈને તેઓએ રજુઆત કરી હતી. આ રજુઆત ન સાંભળવામાં આવતા તેમને મતગણતરી કેન્દ્ર પર જ ગળેટુંપો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ભરત સોલંકીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બીજેપી મોટાપાયે સફળતા મેળવીને 140થી વધારે સીટો મેળવતી જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી 7 સીટો જીતી રહી છે અને તેના કારણે કોંગ્રેસને ઘણી સીટો ગુમાવવાનો વારો આવ્યો છે.












Click it and Unblock the Notifications
