ગાંધીનગરમાં અષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાશે

જેમાં ભાવનગરના યજુર્વેદ પારંગત શ્રી જયંતિલાલ વ્રજલાલ શુકલ, સામવેદના પ્રખર અભ્યાસુ વડોદરાના પિનાકી પ્રસાદ ઉમાશંકર ઓઝા અને અમદાવાદના શુકલ યજુર્વેદના પારંગત વાસુદેવ વિષ્ણુ પ્રસાદ પાઠકની પસંદગી કરવામાં આવી છે.
વર્ષ 2012 - 13ના આ સન્માનમાં પ્રત્યેકને રૂપિયા 50,000 હજાર રોકડા, શાલ અને સન્માનપત્ર અર્પણ કરાશે. આ ઉપરાંત અકાદમી દ્વારા વર્ષ 2013 માટે અમદાવાદના ર્ડા. વિજય દેવશંકર પંડયાને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે.
આ પુરસ્કારમાં રૂપિયા એક લાખ રોકડા, શાલ અને સન્માનપત્ર આપવામાં આવે છે. આ જ રીતે ગાંધીનગરના સંસ્કૃતજ્ઞ સુરેશકુમાર ત્ર્યંબકલાલ વ્યાસને વર્ષ 2012 માટે યુવા ગૌરવ પુરસ્કાર અંતર્ગત રૂપિયા 50,000 રોકડા, સાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.
આ તમામ સંસ્કૃત સાહિત્યરત્નોનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી રમણલાલ વોરાના હસ્તે સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ વેમ્પટિ કુટુમ્બશાસ્ત્રી તથા અખિલ ભારતીય સંઘટન મંત્રી, નવી દિલ્હીના દિનેશ કામત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ભાગ્યેશ જહા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે.
આ સન્માન કાર્યક્રમ બાદ રાસ-ગરબા અને નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તેમ અકાદમીના મહામાત્રની યાદીમાં જણાવાયું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
