ગાંધીનગર જિલ્લાના આચારસંહિતા ભંગ અંગે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૩૪૫ પર ફરિયાદ કરી શકાશે
ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધી ક્લોક ટોલ ફ્રી નંબર આજ
ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધી ક્લોક ટોલ ફ્રી નંબર આજથી શરૂ કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર - ૧૮૦૦-૨૩૩-૨૩૪૫ છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. આજથી ચૂંટણી જાહેર થઇ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, તેનું સુચારુ આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની વિવિધ ફરિયાદોનું અસરકારક નિયમન થાય તે માટે ૨૪x૭ કલાક ફરિયાદ નિવારણ એકમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.
આ ફરિયાદ નિવારણ એકમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતા ભંગ સંબંધિત વિવિધ ફરિયાદો આ ટોલ ફ્રી નંબર પર કરી શકશે.












Click it and Unblock the Notifications
