ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠક: ધોલેરા SIR સ્માર્ટ સિટી બનશે

મંગળવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ/૧ ના તાપી સભાકક્ષમાં મળેલી આ બેઠકમાં GIDBના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SIRના વિકાસ આયોજનમાં સ્થાનિક જનસમૂદાયો ખેડૂતો અને સામાન્ય માનવીના આર્થિક-સામાજિક જીવન ધોરણમાં ગૂણાત્મક પરિવર્તનને કેન્દ્રસ્થાને રાખવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. SIRના વિકાસથી ભવિષ્યમાં સામાન્ય માનવીને ઉપલબ્ધ થનારા અવસરો અને તકો અંગે સમજ આપવાના કાઉન્સેલિંગ અને ક્ષમતા-નિર્માણ અને કૌશલ્ય વર્ધનની તાલીમની તકો પૂરી પાડીને તેઓ આ અવસરોનો કઇ રીતે લાભ લઇ શકે તે માટે સુસજ્જ કરવાના સૂચનો પણ તેમણે કર્યા હતા.
આ બેઠકમાં નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, કૃષિ અને જળસંસાધન મંત્રી બાબુભાઇ બોખિરીયા, મુખ્ય સચિવ ડો. વરેશ સિન્હા અને વરિષ્ઠ સચિવોએ ભાગ લીધો હતો.
SIRના વિકાસની ભવિષ્યલક્ષી યોજનાઓ અને અવસરો માટેના સંસ્થાકિય માળખાની વ્યૂહરચના સાથે વિશેષ કરીને ધોલેરા SIR અને દહેજ PCPIRની અત્યાર સુધીની પ્રગતિની સમીક્ષા સાથે હવે પછીના રોડ-મેપ અંગે મંત્રીઓએ પ્રેરક સૂચનો કર્યા હતા.
ધોલેરા SIRને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા ઉપરાંત ધોલેરા SIR માટે આકાર લેનારા અન્ય આનુસંગિક આધુનિકત્તમ માળખાકીય વિકાસના પ્રોજેકટ-અમદાવાદથી ધોલેરા સુધીનો એક્ષપ્રેસ વે, વીજળી અને પાણીની સુવિધાઓ તથા SIRના આંતરિક માર્ગ વિકાસના નેટવર્કની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દહેજ PCPIR જે દેશના સર્વોત્તમ રાસાયણીક અને પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ રિજીયન તરીકે ઉદ્યોગક્ષેત્રે વિશ્વના ઉત્તમ વિકસી રહેલા ક્ષેત્રમાં ગણમાન્ય બન્યું છે તેની માળખાકીય સુવિધાઓ અને સુવિચારિત આયોજનની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ સામાન્ય માનવીના જીવનધોરણને કેન્દ્રસ્થાને રાખવાના દિશાદર્શક સૂચનો કર્યા હતા.
ધોલેરા SIR અને દહેજ PCPIRના ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરી દેવામાં આવ્યા છે અને ટી.પી. સ્કીમ (નગર રચના યોજના)ની દરખાસ્તોને મંજૂરી આજે આપવામાં આવી હતી. ધોલેરા SIRનો વિકાસ માસ્ટર પ્લાન ૮૭૯.૩૩ ચો. કી. મી. આવરી લઇને કરવામાં આવી રહયો છે અને દહેજ PCPIR ૪પર ચો. કી.મી.માં વિકસી રહ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
