અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન કરાશે
વિશ્વ મત્સ્યપાલન દિવસે મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન મંત્રાલય, પશુપાલન અને ડેરી વિભાગ 21 અને 22 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન કરવા જઈ કહ્યું છે.
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ નવી દિલ્હી ખાતે કર્ટેન રેઇઝર પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી.

મત્સ્યપાલન અને મત્સ્યપાલકો તથા અન્ય હિતધારકોનાં પ્રદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવા તથા મત્સ્યપાલન ક્ષેત્રનાં સ્થાયી અને સમાન વિકાસ માટે કટિબદ્ધતાને પ્રતિપાદિત કરવા માટે ભારત સરકારનાં મત્સ્યપાલન વિભાગ દ્વારા વિશ્વ મત્સ્યપાલન દિવસનાં પ્રસંગે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ ઇન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય કાર્યક્રમ 21 અને 22 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાશે. આ કાર્યક્રમની થીમ મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચર વેલ્થ સેલિબ્રેટ કરો રઈ છે.
આ પત્રકાર પરિષદમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી તથા ડેરી તથા માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો.એલ.મુરુગન સહિત મત્સ્યઉદ્યોગ વિભાગના સચિવ ડો.અભિલક્ષ લિખી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ વિભાગે કોન્ફરન્સ માટે વિદેશી મિશનો, નિષ્ણાતો, સરકારી અધિકારીઓ, થિંક-ટેન્ક્સ, શિક્ષણવિદો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઉદ્યોગ સંગઠનો અને અન્ય મુખ્ય હિતધારકોને આમંત્રિત કર્યા છે. વિશ્વ બેંક, એફએઓ અને દેશો જેવી મુખ્ય સંસ્થાઓએ ભાગીદારીની પુષ્ટિ કરી છે અને તે હોસ્ટ કરવા આતુર છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ઝીંગાની ખેતી, મત્સ્યપાલનની માળખાગત સુવિધાઓનો વિકાસ, નાણાકીય સર્વસમાવેશકતા, ઘરેલુ માછલીના વપરાશને પ્રોત્સાહન આપવા અને મત્સ્યપાલનના સાતત્યપૂર્ણ વિકાસ માટે આગળ વધવાના માર્ગ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા.
રષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રએ માછલીનાં આંતરિક ઉત્પાદન, નિકાસ, જળચરઉછેર, ખાસ કરીને આંતરિક મત્સ્યપાલનનાં ક્ષેત્રમાં વૃદ્ધિ કરી છે, જે કેન્દ્ર, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ ક્ષેત્રોનાં લાભાર્થીઓનાં સહિયારા પ્રયાસો સાથે મત્સ્ય ઉત્પાદનમાં 70 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.
ડો. એલ મુરુગને માહિતી આપી કે, મંત્રાલય સ્થાયી વૃદ્ધિ અને ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે મત્સ્યપાલન, ખેડૂતો, ઉદ્યોગ, દરિયાકાંઠાના સમુદાયો, નિકાસકારો, સંશોધન સંસ્થાઓ, રોકાણકારો, પ્રદર્શકો જેવા તમામ હિતધારકોને એક મંચ પર એકસાથે આવવા અને વિચારો, પ્રસ્તુત તકનીકીઓ પરની માહિતી અને બજાર જોડાણની તકો પર જોડાવા માટે એક મંચ પ્રદાન કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં સાગર પરિક્રમા, પીએમએમએસવાય, મત્સ્યપાલનનું માળખું વગેરે જેવા મત્સ્યપાલન ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલાં વિકાસ અને સરકારી પહેલોને પણ પ્રદર્શિત કરવામાં આવશે.
અહીં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રના પ્રતિક સમાન ઇવેન્ટ લોગોનું અનાવરણ કર્યુ, જે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે તથા રાષ્ટ્રનિર્માણમાં મત્સ્યપાલન અને માછીમાર સમુદાયોનું નોંધપાત્ર પ્રદાન છે.
મત્સ્યપાલન ક્ષેત્રને સૂર્યોદય ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે અને તે સમાજનાં નબળા વર્ગનાં આર્થિક સશક્તીકરણ મારફતે સમાન અને સર્વસમાવેશક વૃદ્ધિ લાવવાની પુષ્કળ સંભવિતતા ધરાવે છે. વૈશ્વિક સ્તરે માછલીના ઉત્પાદનમાં 8 ટકાના હિસ્સા સાથે ભારત ત્રીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક દેશ છે, એક્વાકલ્ચરનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, ઝીંગાનો સૌથી મોટો ઉત્પાદક અને દુનિયાનો ચોથો સૌથી મોટો સીફૂડ નિકાસકાર દેશ છે.
ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ દ્વારા આ પ્રગતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી પીએમએમએસવાયના 22 એમએમટી માછલી ઉત્પાદનના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય એટલું જ નહીં પરંતુ નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં 1 લાખ કરોડની નિકાસ પણ કરી શકાય. આ ક્ષેત્ર દેશના ૩ કરોડ માછીમારો અને માછલીના ખેડુતોને ટકાઉ આવક અને આજીવિકા પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
