Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોટી જાહેરાત કરી

ગુજરાત એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારે રાજ્યના એસટી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા અવસાનના કેસમાં આપવામાં આવતી સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એસટી નિગમના કર્મચારીઓને હવે વધારા સાથે મૃત્યુના કિસામા 14 લાખ સહાય ચૂકવવામા આવશે.

Gujarat ST

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ આ જાહેરાત કરી. તેમણે ટ્વિટમાં જણાવ્યુ કે, નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં 8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે 14 લાખ આપવાનો નિર્ણય લેવાયો છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે હાલમાં જ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે.

આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

જો કે આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X