મોદીને મોટી રાહત, નાણાવટી પંચે આપી ગોધરા કાંડમાં ક્લીન ચિટ
ગાંધીનગર, 18 નવેમ્બર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે, તેઓ ઓસ્ટ્રેલિયામાં જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ગયા છે. આની વચ્ચે જ ગુજરાતમાંથી તેમના માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ન્યાયાધિશ નાણાવટી પંચે 2002ના ગુજરાત રમખાણ પર પોતાનો અંતિમ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપી દીધું છે.
કેટલાંક અહેવાલ અનુસાર, પેનલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણોમાં સહભાગિતાને લઇને ક્લીન ચિટ આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ઘોધરા કાંડ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ન્યાયાધિશ નાણાવટીએ જણાવ્યું કે અમે રિપોર્ટ સોંપી દીધો છે, જે બેજારથી વધારે પાનાનો છે. જોકે નોંધનીય છે કે રિપોર્ટના સંબંધમાં તેમણે કોઇ વિવરણ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

વર્ષ 2002માં થયેલા રમખાણોના સંબંધમાં પંચનો અંતિમ રિપોર્ટ 12 વર્ષથી વધારે સમય સુધી ચાલેલ લાંબી તપાસ બાદ આવ્યો છે. રમખાણોમાં એક હજારથી પણ વધારે લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના લઘુમતી સમુદાયના હતા. ગયા મહીને, ન્યાયમૂર્તિ નાણાવટીએ જણાવ્યું હતું કે 25મી વાર વિસ્તાર માંગવાની જરૂરત નથી કારણ કે અંતિમ રિપોર્ટ તૈયાર છે. જેનું હાલમાં પ્રિંટીંગ ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં તે આપણી સામે આવી જશે. અમે સરકારને ટૂંક સમયાં રિપોર્ટ સુપરત કરી દઇશું. તપાસ પંચે ગોધરા કાંડના સંબંધમાં પોતાના રિપોર્ટનો એક ભાગ 2008માં સોંપ્યો હતો. જેમાં એ પરિણામ નિકાળવામાં આવ્યું હતું કે સાબરમતી આશ્રમના એસ 6 ડબ્બામાં ગોધરા સ્ટેશનની પાસે લાગેલી આગ 'સુનિયોજિત ષડયંત્ર' હતું.


જ્યારે આ રિપોર્ટને કોંગ્રેસ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. પ્રદેશ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 'જેમ બાર વર્ષે બાવો બોલ્યો તેમ પંચે પણ બાર વર્ષે રિપોર્ટ સુપરત કર્યો છે. અને આ રિપોર્ટ નહીં પરંતુ તપાસના નામે મજાક કરી હોઇ તેવું લાગે છે. જ્યાંથી સારુ લાગ્યું ત્યાંથી કાપી-કૂપીને ભેગુ કરીને રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે.'

-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
