જાણો તમારા ઉમેદવારને: તાલાલાથી ભાજપના ગોવિંદભાઈ પરમાર
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલાલાની સીટ પરથી ભાજપના ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદભાઈ પરમાર વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં તાલાલાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. તો ગોવિંદભાઈ પરમાર વિષે થોડુ જાણીએ. 53 વર્ષના ગોવિંદભાઈએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની સપંત્તિ 8 કરોડની આસપાસ છે. 2016માં થયેલ ઉપચૂંટણીમાં તેઓએ જીત મેળવી હતી.
તાલાલા સીટ જનરલ કેટેગરીની સીટ છે. 2016માં થયેલી ઉપચૂંટણીમાં ગોવિંદભાઈ પરમાર આ સીટ પરથી જીત્યા હતા. તે પહેલા આ સીટ કોંગ્રેસ પાસે હતી. ગુજરાતમાંથી જેમ જેમ કોંગ્રેસનો પ્રભાવ ઓછો થતો ગયો તેમ તેમ અનેક કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગયા. આ ઉપરાંત કોંગ્રેસની જુની સીટો પણ ભાજપ પોતાના કબજામાં કરતું ગયુ.એ જ શ્રેણીમાં ભાજપે તલાલાની બેઠક પર પણ કબજો મેળવ્યો હતો.