ગુજરાત ભાજપ રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 6 એપ્રિલે સંમેલન યોજશે

આ મુદ્દે આગામી 30 માર્ચ, 2013 સુધીમાં તમામ જિલ્લા અધ્યક્ષોની નિમણૂકો કરી દેવાશે અને તારીખ 26 અને 27મીએ હોળી ઉત્સવમાં તમામ પ્રાંતના લોકોને જોડવામાં આવશે. રવિવારે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રદેશ ભાજપની બેઠકમાં સંગઠનની ચૂંટણી અને નિમણૂંકો અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
બેઠકમાં નિર્ણય કરાયો હતો કે 6 એપ્રિલ,2013ના રોજ ભાજપના સ્થાપનાદિનના દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજવામાં આવશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ હાજર રહેશે. રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત રહેશે. આ કાર્યક્રમમાં રાજનાથસિંહનું અભિવાદન તેમજ ભાજપના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમો હાથ ધરાશે.
આ પહેલા 26 અને 27મી માર્ચ, 2013ના રોજ હોળી-ધૂળેટીના દિવસે હોળી ઉત્સવ મનાવાશે. વિવિધ સ્થાનો પર ભાજપ હોળી ઉત્સવનો કાર્યક્રમ યોજશે. જેમાં વિવિધ પ્રાંતના લોકોને પણ જોડીને તેમની સાથે કાર્યકર્તાઓ હોળી મનાવશે. આજની બેઠકમાં સંગઠનની સંરચનાની કામગીરી સમયસર તથા યોગ્ય રીતે પૂર્ણ કરવા ભાર મુકવામાં આવ્યો હતો. જે મુજબ 20 માર્ચ, 2013 સુધીમાં દરેક મંડલના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા તથા 30 માર્ચ, 2013 સુધીમાં તમામ જિલ્લાના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
