ગુજરાત ભાજપ રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 6 એપ્રિલે સંમેલન યોજશે
આ
મુદ્દે
આગામી
30
માર્ચ,
2013
સુધીમાં
તમામ
જિલ્લા
અધ્યક્ષોની
નિમણૂકો
કરી
દેવાશે
અને
તારીખ
26
અને
27મીએ
હોળી
ઉત્સવમાં
તમામ
પ્રાંતના
લોકોને
જોડવામાં
આવશે.
રવિવારે
પ્રદેશ
ભાજપ
અધ્યક્ષ
આર.સી.
ફળદુની
અધ્યક્ષતામાં
મુખ્યમંત્રી
નરેન્દ્ર
મોદીની
ઉપસ્થિતિમાં
ગાંધીનગર
ખાતે
યોજાયેલી
પ્રદેશ
ભાજપની
બેઠકમાં
સંગઠનની
ચૂંટણી
અને
નિમણૂંકો
અંગે
પણ
નિર્ણય
કરવામાં
આવ્યો
હતો.
બેઠકમાં નિર્ણય કરાયો હતો કે 6 એપ્રિલ,2013ના રોજ ભાજપના સ્થાપનાદિનના દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજવામાં આવશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ હાજર રહેશે. રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત રહેશે. આ કાર્યક્રમમાં રાજનાથસિંહનું અભિવાદન તેમજ ભાજપના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમો હાથ ધરાશે.
આ પહેલા 26 અને 27મી માર્ચ, 2013ના રોજ હોળી-ધૂળેટીના દિવસે હોળી ઉત્સવ મનાવાશે. વિવિધ સ્થાનો પર ભાજપ હોળી ઉત્સવનો કાર્યક્રમ યોજશે. જેમાં વિવિધ પ્રાંતના લોકોને પણ જોડીને તેમની સાથે કાર્યકર્તાઓ હોળી મનાવશે. આજની બેઠકમાં સંગઠનની સંરચનાની કામગીરી સમયસર તથા યોગ્ય રીતે પૂર્ણ કરવા ભાર મુકવામાં આવ્યો હતો. જે મુજબ 20 માર્ચ, 2013 સુધીમાં દરેક મંડલના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા તથા 30 માર્ચ, 2013 સુધીમાં તમામ જિલ્લાના અધ્યક્ષોની નિમણૂંકનું કાર્ય પૂર્ણ કરવા નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું.