ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર કરાયા
ગુજરાતમાં શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓ માટે સીમાંકન જાહેર કર્યું છે. આ સાથે જ રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે.
હવે નવી તમામ 9 મહાનગરપાલિકાઓમાં 13 વોર્ડ રહેશે અને દરેકમાં કુલ 52 બેઠકોનો સમાવેશ થશે.

નવી મહાનગરપાલિકાઓ
- નવસારી
- પોરબંદર
- સુરેન્દ્રનગર
- વાપી
- નડિયાદ
- મહેસાણા
- આણંદ
- ગાંધીધામ
- મોરબી
આ નવા શહેરોને મહાનગરપાલિકા તરીકે માન્ય કરાયા છે, જેનાથી અહીંના શહેરી વિકાસ અને સેવા સુવિધાઓમાં વધારો થશે.
અગાઉની મહાનગરપાલિકાઓ
હાલ ગુજરાતમાં નીચેના 6 મહાનગરપાલિકાઓ કાર્યરત છે.
- અમદાવાદ
- સુરત
- વડોદરા
- રાજકોટ
- ભાવનગર
- જામનગર
જૂનાગઢ (વર્ષ 2002) અને ગાંધીનગર (વર્ષ 2010) સહિતની મહાનગરપાલિકાઓ અત્યાર સુધી કાર્યરત હતી.
હવે નવી 9 મહાનગરપાલિકાઓની જોડાણ બાદ ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકા બની ગઈ છે. આગામી સમયમાં આ તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે, જેના કારણે રાજકીય ગરમાવો પણ વધી શકે છે.












Click it and Unblock the Notifications
