હાથ -પગ બાંધીને પાણીમાં લોકોને મારી નાખનાર સીરિયલ કિલર ઝડપાયો
ગુજરાતમાં એટીએસે 10 વર્ષથી ભાગેડુ એવા એક સીરિયલ કિલરનો ઝડપી લીધો છે.
ગુજરાતમાં એટીએસે 10 વર્ષથી ભાગેડુ એવા એક સીરિયલ કિલરનો ઝડપી લીધો છે. તે સીરિયલ કિલર પાંચ લોકોની હત્યા કરી ચૂક્યો હતો. નિર્દોષ લોકોને તેણે ખૂબ ક્રૂરતાથી માર્યા હતા. લાશો પાણીમાં ફેંકી દીધી હતી. છેવટે સુરતમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. એટીએસ અધિકારીના જણાવ્યા મુજબ આ સીરિયલ કિલરની ધરપકડ સાથે જ પાંચ હત્યાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.
તેની ક્રાઈમ હિસ્ટ્રી ભયાનક રહી. તે લોકોના હાથપગ બાંધીને મારતો અને પાણીમાં નાખી દેતો. આ રીતે ઘણા લોકો બેમોત મર્યા. પોલિસ અત્યારે તેની સાથે પૂછપરછમાં વ્યસ્ત છે અને તેણે કુલ કેટલી હત્યાઓ કરી તે શોધી રહ્યા છે. તે 5 હત્યાઓ કબૂલી ચૂક્યો છે. માહિતી મુજબ એટીએસ એ ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ વિશે મળેલી માહિતી અનુસાર તેણે એટીએસે ટ્રેપ દ્વાર પકડ્યો.
એક અધિકારીએ કહ્યુ કે તે સીરિયલ કિલર છેલ્લા દસ વર્ષોથી શોધી રહી હતી. તેણે એવા ગુના કર્યા જેનાથી કોઈનુ પણ હ્રદય કાંપી શકે છે. તેણે નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા. તેની ધરપકડથી લોકોમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એ સામે આવ્યુ છે કે તે ગુજરાતમાં 5 હત્યાઓ કરી ચૂક્યો હતો. જો કે તેણે બીજી કેટલી હત્યાઓને અંજામ આપ્યો એ જાણી શકાયુ નથી.
સુશાંત સિંહના મોતથી પરેશાન 14 વર્ષના કિશોરે કરી લીધી આત્મહત્યા