Gujarat Assembly election 2022: તૈયારીઓ પુરી, પરીક્ષાનો સમય: હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 14 મધ્ય અને ઉત્તર જિલ્લાની 93 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ 93 બેઠકોમાંથી એક એવી બેઠક છે જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. હા...અમે વાત કરી રહ્યા છીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 14 મધ્ય અને ઉત્તર જિલ્લાની 93 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ 93 બેઠકોમાંથી એક એવી બેઠક છે જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. હા...અમે વાત કરી રહ્યા છીએ વિરમગામ વિધાનસભાની, જ્યાંથી ભાજપે તેના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલને નોમિનેટ કર્યો છે, જે થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે આપ્યુ રિએક્શન
દરમિયાન મતદાન પહેલા હાર્દિક પટેલની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના પત્ની કિંજલબેન પટેલે કહ્યું કે આ કોઈ ગાઢ લડાઈ નથી, બધા હાર્દિકની સાથે છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકારો ગમે છે અને તે આ પડકારને પણ પાર કરશે. તે ચોક્કસ જીતશે. આપને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી સામાન્ય નથી, આ ચૂંટણી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે.
મત આપ્યા પછી બોલ્યા હાર્દિક પટેલ
વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કહ્યું છે કે હું દરેકને મતદાન કરવા અપીલ કરું છું. ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન માટે આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી એ લોકશાહીની સુંદરતા છે.
2012થી અહી કોંગ્રેસનો કબ્જો
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલા યુવા નેતા હાર્દિક પટેલને ભાજપે વિરમગામ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલ માટે આ બેઠક પરથી ચૂંટણી જીતવી જરૂરી છે. આ બેઠકના ઈતિહાસ પર નજર કરીએ તો અહીંના લોકો ક્યારેક કોંગ્રેસને તો ક્યારેક બીજેપીને વારાફરતી તક આપતા આવ્યા છે. જો કે 2012ની વિધાનસભા ચૂંટણી બાદ અહીં કોંગ્રેસનો કબજો છે. જાણકારોના મતે હાર્દિક પટેલને આ સીટ જીતી બતાવવી પડશે, જેના કારણે તેનું ભવિષ્યનું રાજકીય કદ પણ વધશે.
|
જાણો વિરમગામ બેઠક પર કયા સમાજના કેટલા મતદારો
- ઠાકોર સમાજના 55000 (અંદાજે)
- 50000 પાટીદાર સમુદાય (અંદાજે)
- 25000 દલિત સમુદાય (અંદાજે)
- કોળી પટેલ સમાજના 20000 (અંદાજે)
- 19000 મુસ્લિમ સમુદાય (અંદાજે)
- અન્ય સમુદાયમાંથી 10000 (આશરે).
- વિરમગામ બેઠક પર કુલ-265000 (અંદાજે)
|
ભાજપે વિરમગામ સીટ પરથી હાર્દિકને કેમ ઉતાર્યો?
છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો આ ચૂંટણીમાં પટેલ આંદોલનને કારણે ભાજપને ઘણી બેઠકો ગુમાવવી પડી હતી. એટલું જ નહીં હાર્દિક પટેલ ગત ચૂંટણીમાં કોંગ્રેસની સાથે હતો અને પ્રચાર કરી રહ્યો હતો. આ વખતે ભાજપે હાર્દિકને પટેલના ગઢમાંથી ટિકિટ આપી છે. હવે જોવાનું એ રહેશે કે પટેલ સમાજ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ કરે છે.