Gujarat Assembly Election 2022 : ગુજરાતની ચૂંટણી જીતવી ભાજપ માટે અતિ જરૂરી કેમ? જાણો મહત્વના સમીકરણો

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોની રહેલી યાદીમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા આ વખતે યુવા ઉમેદવારો પર ફોકસ કરવામાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોની રહેલી યાદીમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા આ વખતે યુવા ઉમેદવારો પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં 50 થી ઓછી ઉંમરના નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. 2017ની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઘણા વધારે યુવા ઉમેદવારોને ટીકિટ ફાળવી છે. ભારતીય જનતા પાર્ટી વધારે સક્રિય લોકો પર દાવ લગાવી રહી છે.

Gujarat Assembly Election 2022

આ સાથે સાથે આ ઉમેદવારે તેમના વિસ્તારમાં લોકપ્રીય અને સતત હાજરી પણ હોવી જરૂરી છે. કારણ કે, ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં કોઇ જોખમ લઇ શકે તેવી હાલતમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાં જો ભારતીય જનતા પાર્ટીની શાખ દાવ પર લાગેલી છે. આ સાથે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પોતાનો વ્યાપ વધારી રહી છે. આવામાં જો ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગુજરાત જાય તો તે 2024માં કેન્દ્ર ગુમાવવાની શરૂઆત પણ બની શકે છે.

ઉમેદવારોની સરેરાશ ઉંમર 60 થી વધીને 50 થઈ

ભાજપ દ્વારા ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલી 182 ઉમેદવારોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં લોકોમાં તેમની લોકપ્રિયતા, મેદાન પર ઉમેદવારોએ કરેલા કામ, તેમની જીતની ક્ષમતા અને યુવા ઉત્સાહને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ યાદીમાં 2017ની ચૂંટણીની સરખામણીમાં યુવાનોને વધુમાં વધુ મહત્વ આપવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી ઓછી છે. જ્યારે 53 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી છે.

એક સૂત્રએ ANIને જણાવ્યું કે, જે 2017 માં શક્ય ન હતું, તે 2022માં થઈ રહ્યું છે. ઉમેદવારોની સરેરાશ ઉંમર જે 2017 માં 60 વર્ષની હતી, તે હવે ઘટાડીને 50 કરી દેવામાં આવી છે.

આ કારણે ભાજપે યુવાનોને આપી ટિકિટ

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા નેતાઓનું નામ નથી, જેમણે પાર્ટી નેતૃત્વને પત્ર લખીને ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પહેલીવાર ત્રિકોણીય જંગ જોવા મળે તેવી શક્યતાઓ છે, કારણ કે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરીને જોરદાર માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ આ અંગે જણાવ્યું હતું કે, લોકો સમજશે કે, આમ આદમી પાર્ટીએ જાતિના સમીકરણોને સંતુલિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને યુવા ચહેરાઓ પર ભાર મૂક્યો છે. હકીકત એ છે કે, ગુજરાતમાં ભાજપ સૌથી લાંબા સમયથી સત્તાધારી પક્ષ છે. વર્ષોથી લોકોએ તેને જોયો છે અને મત આપ્યા છે. આથી એ જરૂરી છે કે, જો કોઈ પ્રકારની એન્ટી ઈન્કમ્બન્સી હોય તો તેને ઓછી કરવી જોઈએ અને પાર્ટીએ યુવાનોને મેદાનમાં ઉતારવા જોઈએ.

યુવાનોને સાબિત કરવાની તક મળશે

ભાજપના અન્ય એક નેતા કહે છે કે, આ એક એવી પાર્ટી છે, જ્યાં સાદી પૃષ્ઠભૂમિ ધરાવતો પાર્ટીનો કાર્યકર દેશનો વડાપ્રધાન બન્યો છે અને તેણે યુવાનોને જે સંદેશ આપવાનો છે તે ખૂબ જ સરળ છે. જો તે સખત મહેનત કરશે, તો તેને પોતાને સાબિત કરવાની તક આપવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેથી ઘણી ટિકિટ આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પ્રભાવ રહે તે સ્વાભાવિક છે. કારણ કે, બંને ગુજરાતના છે અને ત્યાંના સુક્ષ્મ રાજકારણથી વાકેફ છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, લગભગ 30 બેઠકો એવી હતી, જ્યાં ભાજપે છેલ્લી ચૂંટણીમાં ખૂબ જ ઓછા માર્જિનથી જીત મેળવી હતી અને તે આગામી ચૂંટણીમાં ઘણી અસર કરી શકે છે. દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક માટે રાજ્યના નેતૃત્વ દ્વારા લાવવામાં આવેલી આ યાદીમાં તે બેઠકો જીતવાની સંભાવના ધરાવતા ઉમેદવારોના નામ ન હતા. કેન્દ્રીય નેતૃત્વએ તરત જ તેમને ધ્યાન દોર્યું અને ખાતરી કરી કે તે નામો શામેલ છે.

ઉમેદવારોની જીતની સંભાવનાનું પણ રાખવામાં આવ્યું છે ધ્યાન

ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિના સમીકરણો અને જીતવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા 17 પક્ષપલટુંઓને ટિકિટ આપી છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, હાર્દિક પટેલને તેના વતન વિરમગામથી, અલ્પેશ ઠાકોરને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે અમે જોયું છે કે, બંને સતત સક્રિય રહ્યા હતા અને અલ્પેશ ઠાકોર જંગી માર્જિનથી જીત્યા હતા. જો તે અમારી પાર્ટીમાં હોય અને અમારા માટે જીતની સ્થિતિમાં હોય, તો તેને શા માટે બહાર રાખવામાં આવ્યો હોત?

શહેરી બેઠકો પર ભાજપનું મેઇન ફોકસ

આ સાથે ભાજપ દ્વારા ટિકિટ આપતી વખતે વિસ્તારમાં હાજરી અને લોકોમાં લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે શહેરી બેઠકો ખૂબ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર, વઢવાણ અને વેજલપુરના ઉમેદવારો એટલા માટે બદલવામાં આવ્યા છે. કારણ કે, તેઓ ખૂબ જ અપ્રિય બની રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ કેટલાક એવા ઉમેદવારો પર પણ દાવ લગાવ્યો છે, જેમને ગત વખતે ટિકિટ આપવામાં આવી ન હતી.

ગુજરાતમાં આ વખતે પણ બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની મુદ્દત 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X